National

સિંહારાજને ન કોરોના રોકી શક્યો ન પોલિયો, બે મેડલ વિજય કરી વધાર્યું દેશનું ગૌરવ, કેવી રહી યાત્રા?

ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics)માં ફિરદાબાદમાં તિગંવ નિવાસી સિંહારાજ અધાના (Sinhraj adhana) દ્વારા 10 વર્ગની એર પિસ્ટલ (air pistol) એસએચ-1ના ફાઇનલમાં કાંસ્ય પદક (bronze medal) જીતી ફરી શનિવારે 50મીટર પિસ્ટલ એસએચ -1 માં રજત પદક (silver medal) પણ જીતી લીધો છે.

સિંહારાજને આર્થિક પરેશાનીઓ અને કોરોના (corona)નો હુમલો થયો હતો છતાં દેશ માટે બે મેડલ (2 medal) લાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ને મેડલ લાવવાનો વાયદો આપ્યો હતો તે પૂરો કર્યો છે. અને પરિવાર તરફથી પણ ખુબ સારો સહકાર મળ્યો છે. જન્મથી પોલિયોગ્રસ્ત અધાના મૂળરૂપથી ફરીદાબાદના તિગાંવ નિવાસી છે. કુટુંબ દ્વારા આર્થિક મુસ્કિલનનો સામનો કરીને જ તેમને આ મુકામ પર પહોંચાડવામાં આવ્યા છે. અધાના પ્રમાણે તે પેરા ઓલમ્પિકમાં જીતવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તે સમયની તૈયારીઓમાં સતત જોડાયેલજોવા મળતા હતા, જ્યારે બીજી લહેરથી વિશ્વમાં આતંક હતો ત્યારે અધાનાએ માહૌલની માયુસીમાંથી નીકળવા માટે ઘરમાં રેસિંગ રેંજ તૈયાર કર્યું હતું, અને અભ્યાસ ચાલુ કર્યો.

ટોક્યો જવા પહેલા નરેન્દ્ર મોદીને કહી હતી આ વાત
સિંહારાજ માને છે કે સરકાર મદદ કરે છે તો પ્રોત્સાહન મળે છે અને આ વાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કહી હતી. મોદીને તેણે કહ્યું હતું કે શૂટિંગ એવી સ્પર્ધા છે જેમાં ખૂબ જ પૈસા ખર્ચવામાં આવે છે. જો તે ખેલાડીઓને સરકારની મદદ મળતી હોય તો તે સમય જુસ્સામાં પણ વધારો થાય છે.

વિદેશી ખેલાડીઓ સાથે લોકડાઉનમાં કરી હતી ચર્ચા
વિદેશી ખેલાડી મિત્રોને પણ અભ્યાસ કરવાની રીત વિષે પૂછતાં હતા, વિદેશી મિત્રો સતત રમત અભ્યાસ કરી રહ્યા હતા જો કે સ્થાનિક સ્તર પર તેની છૂટ નથી. માટે જેવી અનલોકની પ્રક્રિયા થઇ કે તેણે પોતાનો અભ્યાસ પણ શરૂ કર્યો. તેના માટે વર્ષ 2018 માં એશિયન ગેમ્સ દરમિયાન પ્રદેશની સરકારથી મળેલ ઇનામી રકમ જ કામ આવી હતી. ઓલમ્પિકમાંઉપયોગમાં લેવાયેલ ઈમિનેશનથી જ તૈયારી કરી અને તાજેતરમાં પણ યુએઇમાં વિશ્વકપમાં પદાર્પણકર્યું હતું. આ ઉપરાંત નેશનલ રાઈફલ એન્જિનિયરિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી રમતને બળ મળ્યું.

કોરોના ગ્રસ્ત થયા બાદ પણ નહીં હાર્યા સિંહરાજ
સિંહારાજ અધાના આ વર્ષ મેં મહિનામાં કોરોનાનો શિકાર પણ થઇ ગયા હતા. તેમ છતાં, હિંમત જાળવીને જીંદગી જીવે છે સિંહરાજ, જેને ન પોલિઓ રોકી શક્યો ન કોરોના સંક્રમણ. સમગ્ર વિશ્વની રફ્તાર કોરોનાએ ઘટાડી પરંતુ અધાના તે સમય પણ ન અટક્યા. તે સતત પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે. પરિવારના લોકોનું કહેવું છે કે હોમ આયસોલેશમાં કોરોનાને પછાડ્યો. આતેના અભ્યાસની સમજણ છે. તે સ્વાસ્થ્ય અને રમત માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.

Most Popular

To Top