Saurashtra

શિવરાત્રિ પર્વ પર સંક્રમણને રોકવા ૧૧મી સુધી ગિરનાર રોપ-વે બંધ

રાજકોટ: જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે. આગામી તા. ૭ થી જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાવાનો હતો, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શિવરાત્રી મેળો રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જો કે સાધુ-સંતો દ્વારા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે.

બીજી તરફ મેળો ચાલુ રાખવા પણ અનુરોધ કરાયો છે તેના માટે તા. ૬ ને આવતી કાલે એક બેઠક પણ મળવાની છે. ૭ માર્ચે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ બાદમાં શિવરાત્રીએ રવાડી, શાહી સ્નાન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાધુ-સંતો દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહી. આથી લોકોને ઘરે રહી શિવરાત્રી મેળો કરવા સાધુ-સંતો અને તંત્રએ અનુરોધ કર્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top