Business

વઘઈ – સાપુતારા રસ્તો 1200 કરોડના ખર્ચે ચાર માર્ગી કરાશે

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200 કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કરાશે.

  • દક્ષિણ ગુજરાતમાં માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ : પૂર્ણેશ મોદી
  • વલસાડથી ગીર સોમનાથ થઈ કચ્છ નારાયણ સરોવર સુધીના 1600 કિ.મી.ના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન

વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, વલસાડથી ઉમરગામ થઈને નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરંબદર, દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાંથી પસાર થતાં અને કચ્છના નારાયણ સરોવર સુધીના 1600 કિમીના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ હાઈવેના વિકાસના પ્રોજેકટ હાથ ધરાશે.

રાજ્યમાં 1200 નવી બસ ખરીદાશે
વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસીડી આપવા 106 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. રાજ્યમાં જુદી જુદી 1200 નવી બસો ખરીદવા માટે 367 કરોડની જોગવાઈ કરાઈ છે

Most Popular

To Top