Top News

More Posts

   The Latest

Most Popular

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર અયોધ્યા રોશનીથી પ્રકાશિત થઈ ગયું હતું. દીપોત્સવ દરમિયાન અયોધ્યામાં બે વિશ્વ રેકોર્ડ નોંધાયા. પહેલા રામ કી પૈડીના 56 ઘાટ પર 26.17 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ડ્રોનનો ઉપયોગ કરીને દીવાઓની ગણતરી કર્યા પછી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વતી સ્વપ્નિલ ડાંગરેકર અને સલાહકાર નિશ્ચલ બારોટે નવા રેકોર્ડની જાહેરાત કરી. આમ દીપોત્સવની સાથે રોશનીનો નવો રેકોર્ડ પણ બન્યો હતો.

આ સતત નવમો વિશ્વ રેકોર્ડ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રભારી મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને અન્ય લોકોએ આ નોંધપાત્ર અને અવિસ્મરણીય ક્ષણના સાક્ષી બન્યા. બીજો રેકોર્ડ સરયુ આરતીનો હતો જેમાં 2100 વેદાચાર્યોએ એક સાથે ભાગ લીધો હતો. યોગી સરકાર માટે આ અનોખો રેકોર્ડ બીજી વખત પ્રાપ્ત થયો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ નિમિત્તે સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે સાંજની આરતી કરી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી યોગીએ પોતે આરતીમાં ભાગ લઈને આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો. રામ કી પૈડી ખાતે સાંજની આરતીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે.

જ્યાં એક સમયે ગોળીઓ ચાલતી હતી, ત્યાં હવે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે – યોગી
દર વર્ષની જેમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે રામ અને સીતાનું ચિત્રણ કરતા કલાકારોની પૂજા કરી હતી. દીપોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે જ્યાં એક સમયે ગોળીઓ ચાલતી હતી ત્યાં હવે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દીવા 500 વર્ષના અંધકાર પર વિજયનું પ્રતીક છે.

જોકે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ અયોધ્યા પહોંચ્યા ન હતા પરંતુ રામ ભક્તોએ દીપોત્સવ કાર્યક્રમમાં સંપૂર્ણ ભક્તિભાવથી ભાગ લીધો હતો અને તેની ભવ્યતામાં વધારો કર્યો હતો.

સરયુ નદીના કિનારે સ્થિત રામ કી પૈડી ખાતે લેસર અને લાઇટ શો સાથે રામલીલાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઘાટો પર દીવા અને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. અહીં રોશનીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. દીપોત્સવ 2025 માં ભાગ લેવા માટે અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

To Top