હજારો વર્ષથી માનવ સંસ્કૃતિ નદીના કિનારે વિકાસ પામતી આવી છે. જે પોષતું તે મારતું તે ન્યાયે આ નદીઓ સમયે સમયે વિનાશ પણ...
વડોદરા: વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તા.૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ચૂંટણી...
ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના બેનર હેઠળ ઝંપલાવવાં જુનાં જોગીઓ સહીત નવાચહેરાઓ પણ મેન્ડેટ માંગવા નીરીક્ષકો આગળ પડાપડી...
ahemdabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) જાહેર થતા જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી...
વડોદરા: વડોદરા જીલ્લામાં ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમ દ્વારા ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ને સાંભળવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા જીલ્લામાં...
સંસદનું બજેટ (BUDGET) સત્ર આજથી શરૂ થશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (RAMNATH KOVIND) ના સંબોધનથી શરૂ થશે. આ અગાઉ વડા પ્રધાન...
વડોદરા: ત્રિવેણીના સહયોગથી ઉંબરોએ વડોદરાની આસપાસની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે 18 મી જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2021 સુધી દસ દિવસીય માસ્ક મેકિંગ વર્કશોપનું...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના એઆઈએસએ ગ્રુપ દ્વારા ટેબલેટ ની ફી ભર્યા છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ ના મળવાથી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત પૂર્વ જી.એસ...
સ્માર્ટગીરી બનાવવા માટે સુરતમાં ઠેર ઠેર મુકેલી કચરાપેટી હટાવી દેવામાં આવી છે. પણ જનતા હજુ આ બાબતે સ્માર્ટ નથી બની હજી પણ...
સુરત (Surat): શહેરના ભટાર ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા વેપારીના પુત્રનું ગુરૂવારે સવારે સાત વાગ્યાના અરસામાં કારમાં આવેલા ચારેક અજાણ્યાઓએ...
MUMBAI : દેશની રાજધાની દિલ્હીની સરહદ(DELHI BORDER) પર કિસાન આંદોલન (FARMER PROTEST) વચ્ચે બે મહિનાથી વધુ સમયથી એવા સમાચાર આવ્યા છે કે...
મનોરંજનનું એક સાધન એટલે લોકસંસ્કૃતિની મોજ કરાવતો ડાયરો, લોકગીત, ગરબા, લગ્ન ગીતો, પ્રભાતિયા, ફિલ્મીગીતો દ્વારા અપાર લોકચાહના મેળવનારા, ગૌરવ પુરસ્કાર મેળવનારા, જેમને...
શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાઓથી પીડાતા, પોતાની મહામુલી બચતમાંથી આવશ્યક સેવાઓ ખરીદે છે. મેડીકલેઇમ પણ સહારો છે. કેટલાક વર્ષોથી એક નવા કનસેપ્ટની અમલવારીનો...
૨૦ જાન્યુઆરીના સપરમવા દિવસે, વોશિંગ્ટન ડી.સી. ખાતે અમેિરકાના ૪૬ મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડને શપથ લીધા હતા. સમકિત શાહ કહે છે તેમ,...
શું વિશ્વભરમાં ફેલાયેલા મહાસાગરોમાંથી શાર્ક માછલી (SHARK FISH) ઓનો નાશ થશે? એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે 1970 થી 2018 ની...
હમણાં બે અકસ્માત થયા. નેશનલ હાઇવે પર પહેલો અકસ્માત કોસંબાથી અરેણ તરફ જતા ડમ્પરે અને બીજો અકસ્માત કીમ ચાર રસ્તા ખાતે પાલોદ...
DELHI : કૃષિ કાયદા (AGRICULTURE LAW) વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (FARMER PROTEST) હાલમાં વેરવિખેર થઈ ગયું છે. જ્યારે કેટલાક સંગઠનો આંદોલનથી પીછેહઠ કરી...
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને એના ભરડામાં લઈ લીધું છે અને એક વર્ષ જેવો સમય થઈ ગયો છે. ઘણા દેશો એના વેક્સીન માટે...
સતત 5 દિવસથી શેરબજારની નીચી સપાટી આજે ઊઘડતા બજારે સારી શરૂઆત થઈ હતી. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) સેન્સેક્સ (SENSEX) 47,200 અને...
એક મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. તેમણે તેમના આસીસ્ટન્ટને એક જારમાં લાલ કીડીઓ અને બીજા જારમાં કાળી કીડીઓ ભરવા માટે કહ્યું. આસીસ્ટન્ટને નવાઈ...
લોકશાહીના પાયાનાં મૂલ્યોમાં સ્વતંત્રતા સ્વીકારવામાં આવી છે અને સ્વતંત્રતાનો નાગરિક હક્ક એટલે વ્યક્તિસ્વાતંત્ર્ય. વ્યક્તિસ્વાતંત્ર્યમાં માલિકીપણાનો ભોગવટો સમાયેલો છે અને માલિકીપણાની સ્વતંત્રતા એટલે...
હાલના નાણાંકીય વર્ષ 2020-21 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) અર્થતંત્રમાં ઊંડો ઘટાડો થયો હતો, કારણ કે કોરોનાને નિયંત્રિત કરવાના નામે લોકડાઉન થઈ...
ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અને પોતાનું યોગદાન આપનાર એવા અરવિંદ જોશીનું (arvind joshi) નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન...
સુરતઃ શહેરમાં પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ઠંડીનો સ્પેલ લાંબો ચાલ્યો હોવાનું હવામાન વિભાગના જાણકારોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે ત્રણ-ચાર દિવસ આવતી...
અમેરિકન ટેક્નોલોજી કંપની એપલની આવકમાં કોરોના મહામારી હોવા છતાં પણ મોટો વધારો થયો છે. તે ઉપરાંત, આઇફોન 12 સિરીઝનું વેચાણ પણ વધ્યું...
આવતીકાલે અહીંના મોટેરા સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની બંને સેમી ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલમાં તમિલનાડુ અને રાજસ્થાનની ટીમ બાથ ભીડશે...
શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર તોફાની બની રહેશે. વિપક્ષ ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સરકાર...
ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નજીકના વિસ્તારોમાં અત્યારે સખત શિયાળો ચાલી રહ્યો છે અને ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ધ્રુવ નજીક આવેલો...
નવી દિલ્હી, તા. 28 બજેટમાં 80સી હેઠળની કરકપાત દોઢ લાખથી વધીને 3 લાલાખ થઈ શકે છે. ટેક્સ નિષ્ણાત અનુસાર, સેક્શન 80-સી હેઠળ...
અત્યંત તીવ્ર ઝડપે દોડતી મોટરકારોનો ક્રેઝ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઘણો છે તથા અનેક કંપનીઓ પૂરઝડપે દોડતી કારો ત્યાં બજારમાં મૂકે છે....
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
હજારો વર્ષથી માનવ સંસ્કૃતિ નદીના કિનારે વિકાસ પામતી આવી છે. જે પોષતું તે મારતું તે ન્યાયે આ નદીઓ સમયે સમયે વિનાશ પણ વેરતી આવી છે. નદીઓના પૂરને કાબુમાં લેવા અને જળનો સંગ્રહ કરવા માટે નદીઓ પર બંધ બાંધવાનો ખયાલ વિકસ્યો. છેલ્લી બે સદીમાં વિશ્વમાં હજારો બંધ બાંધવામા આવ્યા અને તે ઉપયોગી પણ ઘણા થયાં પરંતુ આ જ બંધો હવે દુનિયા માટે ભય સર્જવા લાગ્યા છે.

હાલમાં બહાર પડેલો યુએનનો એક અહેવાલ જણાવે છે કે દુનિયામાં પચાસ હજાર કરતા વધુ બંધો એવા છે કે જેઓ આગામી કેટલાક સમયમાં ભયજનક બની જઇ શકે છે. વિશ્વની અનેક મોટી નદીઓના પાણીનો સંગ્રહ કરવા માટે અને તેના વડે મોટા વિસ્તારમાં સિંચાઇ કરવા માટે તથા પૂરની સમસ્યાના ઉકેલ માટે પણ ગત સદીમાં દુનિયાભરમાં અનેક મોટા બંધો બંધાયા, પણ હવે આમાંના ઘણા બંધો જોખમી બનવા માંડ્યા છે અને એક મોટો ખતરો ઉભો કરવા માંડ્યા છે. યુએન સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પ૮૭૦૦ જેટલા વિશ્વના મોટા બંધોમાંથી મોટા ભાગના બંધો હવે જરીપુરાણા થઇ ગયા છે અને તૂટી પડે તેવો પણ ખતરો ધરાવતા થઇ ગયા છે. વિશ્વના મોટા ભાગના મોટા બંધો ૧૯૩૦થી ૧૯૭૦ વચ્ચે બંધાયા હતા અને આમાંના મોટા ભાગના બંધો ૫૦થી ૧૦૦ વર્ષના આયુષ્યના અંદાજ સાથે બાંધવામાં આવ્યા હતા. આનો અર્થ એ કે આ બંધોનું આયુષ્ય હવે પુરુ જ થઇ જવા આવ્યું છે. એક અંદાજ પ્રમાણે જો આ બંધો તૂટી પડે તો ૮૩૦૦ અબજ ઘન કિલોમીટર પાણી વછૂટી શકે છે અને આ પાણીનો જથ્થો એટલો બધો થાય કે અમેરિકાની વિશાળ ગ્રાન્ડ કેન્યોન ખીણને તેના વડે બે વખત ભરી શકાય. આ બંધોમાં અમેરિકાના હૂવર બંધ અને ઇજિપ્તના આસ્વાન બંધ જેવા જાણીતા બંધો સહિત અનેક બંધો આવેલા છે, ભારતના ૧૦૦૦થી વઘુ બંધોનો પણ તેમાં સમાવેશ થાય છે. આમાં વક્રતા એ પણ છે કે આ મોટા ભાગના બંધો અમેરિકા,ચીન જેવા દેશોની આગેવાની હેઠળના વિશ્વના ૨પ દેશોમાં જ આવેલા છે. અને ૫૫ ટકા જેટલાં બંધો તો એશિયામાં જ આવેલા છે.
છેલ્લી બે સદીઓમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જળ બંધો એ જાણે વિકાસ માટે અનિવાર્ય બની ગયા હોય તેવું વર્તન થવા લાગ્યું હતું. જો કે નિષ્ણાતો તો લાંબા સમયથી આ બંધોના ખતરાઓ અંગે ચેતવણી આપતા જ આવ્યા છેે. જો જમીનનો યોગ્ય ખ્યાલ રાખીને બંધ નહીં બાંધવામાં આવે તો તો બંધો ખૂબ ભયજનક બની શકે છે. બંધની અંદરના વિશાળ જળરાશીના કારણે જમીનના અંદરના સ્તરો પર ભારે દબાણ આવે છે અને તે ભૂગર્ભીય પ્રવૃતિ વધારી દે છે અને તેને કારણે ધરતીકંપનો ભય પણ વધી જાય છે. વિશ્વમાં વધેલા ધરતીકંપોના બનાવો માટેનું એક કારણ વિશાળ બંધો પણ છે અને ધરતીકંપ જેવા કારણોસર બંધ તૂટે તો તો કેવી મોટી વિભીષીકા સર્જાય છે તે તો આપણે મોરબીના મચ્છુ બંધ તૂટવાની ઘટના વખતે ખૂબ નજીકથી જોયું છે. હજી પણ સમય છે, હવે મોટા જળબંધો અને જળયોજનાઓને બદલે નદીઓ પર નાના નાના અનેક બંધો બાંધવા જેવી વ્યુહરચનાઓ અપનાવવાની જરૂર છે.