સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના બણગાં શાસકો ફૂંકી રહ્યાં છે, પરંતુ વરસાદના એક રાઉન્ડે જ શાસકોના દાવાઓને ખોટા સાબિત કરી...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં સતત પાણી વિતરણ સુનિશ્ચિત કરવા માટે જુદી જુદી ટાંકી, બૂસ્ટિંગ સ્ટેશન અને ઓનલાઇન પંપિંગ માધ્યમો દ્વારા...
વડોદરા શહેરમાં રસ્તાઓના સમારકામ અને પેચવર્ક માટે જરૂરી મીક્ષ મટિરિયલ માટે વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા હસ્તકના અટલાદરા સ્થિત ડ્રમ મિક્ષ પ્લાન્ટના ઓપરેશન...
વડોદરા તારીખ 25વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર તરફથી 27 જૂનના રોજ કાઢવામાં આવનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ કમિશનર...
આગામી તા 27-06-2825 ને શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે શહેરમાં 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યાત્રા નિકળશે. અમદાવાદના વિમાન દુર્ઘટનાને લઇને આ વર્ષે સાદગીપૂર્ણ...
સુરતમાં રવિવારે સાંજથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે આખુંય શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે,...
શુભાંશુ શુક્લા ત્રણ ક્રૂ સભ્યો સાથે ડ્રેગન કેપ્સ્યુલ સાથે રવાના થયા છે. સફળ પ્રક્ષેપણ અંગે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. નાસાના કેનેડી સ્પેસ...
જમ્મુની તાવી નદીમાં એક શખ્સ ધસમસતા પૂરના પાણીમાં બરોબર વચ્ચોવચ્ચ ફસાઈ ગયો હતો. પાણીનું સ્તર ખૂબ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી વધી...
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ઈઝરાયલ માટે જાસૂસી અને હત્યાનું કાવતરું ઘડવાના...
એક્સિઓમ-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હશે. રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં જનારા બીજા...
ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ભારતે...
સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવતા રીક્ષા ખાડામાં પડતા પલટી ખાઈ ગઈ, ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત વડોદરા તારીખ 25વડોદરા શહેરના બાપોદ...
આજે જમવામાં ખીચડી બનાવજો એટલું કહેતા તરત જ ઘરમાં રસોઈ બનાવતી મા કે પત્ની કહેશે કે આજે મંગળવાર હોય ખીચડી ના બની...
દર વર્ષે વરસાદ આવે તેના સાથે સુરતનાં દરજ્જાઓ વહી જાય છે. વહી જાય છે ઘરો, દુકાનો, વાહનો, અને સૌથી ભયાનક રીતે વહી...
સરળ ભાષામાં આઇનસ્ટાઇને સાપેક્ષવાદ આ રીતે સમજાવેલો જો તમે પ્રેમીકાની રાહ જોતા હો ત્યારે તમારો સમય ખૂબજ ધીમી ગતિએ જશે અને જો...
ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા હંમેશ ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર્ડ પાણી પીવું. વારંવાર સાબુથી હાથ ધોવા અને ગરમ પાણીથી કોગળા કરવા. ખોરકામાં વિશેષ...
(પ્રતિનિધિ) આણંદ તા 25 આણંદ જિલ્લામાં 159 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સાત ગ્રામ પંચાયત સમરસ...
ગુજરાતમિત્રના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રભાઈ જોષીના નિધનના સમાચાર જાણી ખુબ વ્યથા પેદા થવા પામી. તેઓ ખૂબ અભ્યાસુ પત્રકાર હતા અને ચર્ચાપત્રી...
એક દિવસ ગુરુજી પોતાના આશ્રમની નજીક આવેલા એક તીર્થસ્થળે પોતાના બધા જ શિષ્યોને લઈને ગયા. તીર્થસ્થળ પર સુંદર મંદિર હતું અને દેવસ્થાનની...
કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ ફક્ત તેના આર્થિક સૂચકાંકો દ્વારા જ માપવામાં આવતી નથી, પરંતુ તે વિકાસથી સામાન્ય માણસમાં જે ગૌરવ, તક અને...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વધુ તીવ્ર વળાંક લીધો છે. આ વધતો તણાવ વૈશ્વિક તેલના ભાવમાં વધારો કરી શકે...
ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિટઝરલેન્ડના મનોવિજ્ઞાની કાર્લ જુંગે ૧૯૩૬માં માનવ સ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોન્સ્ડસનેસ અને...
ઈરાન પર હુમલો કરવો એ નાઈકીની જાહેરાત નથી – જસ્ટ ડુ ઇટ. મધ્ય પૂર્વના નિષ્ણાત એરોન ડેવિડ મિલરે ઈરાનના પરમાણુ સ્થળો પર...
જૈનોના પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી બાબતમાં છેક ૧૯૫૩થી સરકાર સાથે વિવાદ ચાલતો હતો. આ વિવાદનો કેસ અત્યારે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે...
મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ પાંચ કામોની દરખાસ્ત રજૂ કરાઇ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી કિનારે સુરક્ષા માટે વધુ એક પગલું શહેરમાં ગત વર્ષના...
( પ્રતિનિધિ) વડોદરા તા. 24વડોદરા શહેરમાં લૂંટ ધાડ મારામારી, ખંડણી માંગવી, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના 165 જેટલા ગુનાઓમાં સંડોવાયેલી કાસમઆલા ગેંગ વિરુદ્ધ...
(પ્રતિનિધિ) વડોદરા તા. 24 શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં 23 જૂનના રોજ આંતરડાની બિમારીને લઈ જંબુસર તાલુકાના પિલોદરા ગામની યુવતીને દાખલ...
વડું નજીક નરસિંહપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બીજી વખત યોજાઈ ચૂંટણી સમયે કોઇ કોઈ વખત ટેકનિકલ ખામીના કારણે ફરી મતદાન પ્રક્રિયા હાથ...
ડભોઇ: જાંબુઘોડાના જંગલમાંથી નીકળતી ઢાઢર નદીમાં પંચમહાલ જિલ્લામાં અને બોડેલી તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. ઢાઢરના પૂરનું પાણી સીમળીયા...
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સુપ્રસિદ્ધ એવું પાવીજેતપુર ભારજ નદીનું ડાયવર્ઝન જે સરકારના તથા જનતાના ટેક્સના પૈસાનું બનાવવામાં આવે છે, છતાં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત શહેરને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાના બણગાં શાસકો ફૂંકી રહ્યાં છે, પરંતુ વરસાદના એક રાઉન્ડે જ શાસકોના દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. આ સ્માર્ટ સિટીનું તંત્ર કેટલું નમાલું છે તે એક જ વરસાદમાં સાબિત થઈ ગયું છે.
સ્થિતિ એટલી ખરાબ છે કે વરસાદ અટક્યાના 24 કલાક બાદ હજુ પાણી ઉતર્યા નથી. શહેરના પર્વટ પાટીયા વિસ્તારની સોસાયટીઓમાં હજુ પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે, ત્યારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા એક દર્દીને આજે ખભે ઊંચકીને પાણીને બહાર કાઢવા પડ્યા હતા.
પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોઈ સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. અહીંની વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડી પૂરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
લિંબાયતની મીઠી ખાડીમાં પાણી ભરાયેલા હોવાને લીધે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન લિંબાયતમાં રહેતા રહેમાન નામના વ્યક્તિને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. આ આધેડને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જોકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હતી. તેથી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી.
108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. સ્થાનિક લોકોએ જીવના જોખમે ખભા પર દર્દીને ઊંચકી લઈ 108 સુધી પહોંચાડ્યો હતો. આ મુશ્કેલીઓના લીધે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે અડધો કલાક વેડફાઈ ગયો હતો.
નોંધનીય છે કે, બે દિવસ બાદ પણ પર્વત પાટીયા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટરના રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા હોઈ વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓનો પાર નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
આશ્ચર્યજનક રીતે ગઈકાલે જ પાલિકા કમિશનરે આ જ વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી ઠાલવવામાં આવી રહી છે.