SURAT

રૂમમાં એકલી સૂતેલી પરિણીતાની નજીક જઈ સુરતના રિટાયર્ડ પોલીસવાળાએ કર્યું આવું…

સુરત: સુરતમાં (Surat) એક નિવૃત્ત પોલીસકર્મી (Retired Police) વિરુદ્ધ બળાત્કારની (Rape) ફરિયાદ (FIR) નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ નિવૃત્ત પોલીસકર્મીએ ગાંધીનગરથી (Gandhinagar) સુરત આવી ત્રણ સંતાનોની માતા એવી પરિણીતા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મળતા સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાએ (Married Women) સોમવારે તા. 12 જૂન 2023ના રોજ નિવૃત પીએસઆઈ (PSI) ડી.એચ.વાઘેલા (રહે, રતનપુર, ગાંધીનગર )સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ડી.એચ.વાઘેલા સન 2014માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તે વખતે તેના દીકરાની મોટર સાયકલ પકડી હતી. દીકરાની બાઈક છોડાવવા મામલે પરિચય થયો હતો.

પીએસઆઈ ડી.એચ.વાઘેલા તે સમયે સુરતમાં એકલા રહેતા હતા અને પરિણીતા ટીફીન સર્વીસનું કામ કરતી હોવાથી તેમની પાસે ટીફીન મંગાવતા હતા. વાઘેલા ક્યારેક પરિણીતાના ઘરે પણ જમવા માટે જતા હોવાથી સંબંધ ગાઢ બન્યા હતા. વાઘેલાએ રિટાયર્ડ થયા પછી પણ પરિણીતાના ઘરે આવવા જવાનો વ્યવહાર ચાલુ રાખ્યો હતો.

દરમ્યાન ગઈ તા 5 ફેબ્રુઆરી 2023થી 10 ફેબ્રુઆરી 2023 સુધી પરિણીતાની દીકરી, દીકરો અને નણંદ બહાર ગામ ફરવા માટે ગયા હતા. તેમજ પતિ 8 ફેબ્રુઆરીના રોજ ડાઈંગ પેન્ટીંગના કામ અર્થે નાઈટ ડ્યુટી પર ગયા હતા. બીજો દિકરો નણંદની દીકરીના ઘરે સુવા માટે ગયો હતો.

પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે ડી.એચ.વાઘેલાએ મળસ્કે 5 વાગ્યે ફોન કરી ”મે તુમ્હારે ઘર કે બહાર આયા હું ઔર અંજની મેડીકલ કે પાસ ખડા હું તુમ આઓ મેરે પાસે ભાડે કે પૈસે નહી હૈ રીક્ષા વાલે કો દેના હૈ’, એમ કહેતા પરિણીતા ત્યાં જઈ રીક્ષા ચાલકને ભાડુ આપી આરોપી વાઘેલાને ઘરે લઈને આવ્યા હતા.

આરોપી વાધેલાએ પરિણીતાને માતાજીનો પ્રસાદ આપ્યો હતો. પરિણીતાએ ‘સર આપ બેડ પે સો જાવ કહ્યું હતું. પરંતુ વાધેલાએ આપ કી તબીયત ખરાબ હૈ આપ બેડ પર સો જાઓ મે સોફા પર સો જાતા હું વેસે ભી મુજે સુબહ મે કામ સે બહાર જાના,’ એમ કહેતા પરિણીતા બેડ પર સુઈ ગઈ હતી.

થોડીવાર પછી ડી.એચ.વાધેલા પરિણીતાની બાજુમાં જઈ શારીરિક અડપલાં કરતા પરિણીતા ગભરાઈને ઉઠી બુમો પાડવા લાગી હતી. ત્યારે વાઘેલાએ પરિણાતાનું મોંઢું બંધ કરી જબરજસ્તીથી બળાત્કાર કર્યો હતો. પરિણીતાએ કેસ કરવાની વાત કરતા વાઘેલાએ કોઈને જાણ કરી તો જોઈ લેવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. બનાવ અંગે પરિણીતાએ તેના પતિ અને દીકરાઓને વાત કર્યા બાદ તા. 12 જૂનના રોજ ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે નિવૃત પીએસઆઈ ડી.એચ.વાધેલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top