National

સુપ્રીમ કોર્ટમાં વકીલોએ વક્ફ કાયદા પર સ્ટેની માંગ કરી, CJI એ કહ્યું- બસ, બહું થયું..

વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસમાં દાખલ કરાયેલી 70 અરજીઓ પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટમાં અસદુદ્દીન ઓવૈસી, કપિલ સિબ્બલ, અભિષેક મનુસિંઘવી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અન્ય અરજદારોના વકીલો હાજર છે.

આ અરજીઓમાં વકફ સુધારા અધિનિયમ 2025 ની ઘણી કલમોને બંધારણ વિરોધી ગણાવવામાં આવી છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઘણા રાજ્યોએ વકફ સુધારા અધિનિયમ 2025 ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો છે.

છત્તીસગઢ, આસામ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાને આ કેસમાં પક્ષકાર બનવાની પરવાનગી માંગતી અરજીઓ દાખલ કરી છે. આ રાજ્યોએ વકફ કાયદાને પડકારતી અરજદારોની દલીલનો વિરોધ કર્યો હતો કે વકફ સુધારો કાયદો બંધારણનું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાને રદ નહીં કરે.

અભિષેક મનુ સિંઘવી પછી કેટલાક વધુ અરજદારોએ કાયદા પર રોક લગાવવાની માંગ કરી જેના પર CJI એ કહ્યું કે હવે તેઓ કાયદા પર રોક લગાવવાની માંગ કરતી કોઈપણ અરજદારની વાત સાંભળશે નહીં. સીજેઆઈએ કહ્યું કે બસ, હવે અમને એક તક આપો.

કેન્દ્રના વકીલે શું દલીલ કરી?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો શરૂ કરી. તેમણે કહ્યું- આ ફક્ત કાયદો નથી, તે JPC દ્વારા ચર્ચા પછી આવ્યો છે. તેમણે 98 લાખથી વધુ મેમોરેન્ડમ પર વિગતવાર ચર્ચા કરી. એસ.જી. મહેતાએ નવા વકફ કાયદાનો બચાવ કર્યો.

અભિષેક મનુ સિંઘવીએ શું કહ્યું?
અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે વકફ (સુધારા) કાયદાના નિયમ 3(3)(da) માં કલેક્ટરને વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. લોકોને અધિકારી પાસે જવા મજબૂર કરવામાં આવ્યા છે. સિંઘવીએ કહ્યું કે કલમ 32 એટલે કલમ 25 અને 26 વાંચવા કરતાં વધુ શું, આ એવો કેસ નથી જ્યાં માય લોર્ડ્સે અમને હાઇકોર્ટમાં મોકલવા જોઈએ.

અભિષેક મનુ સિંઘવીએ વક્ફ સુધારા કાયદા પર રોક લગાવવાની માંગ કરી. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ એવો કેસ નથી કે જેમાં અરજીઓ હાઇકોર્ટમાં મોકલવી જોઈએ. નવા કાયદાની જોગવાઈઓ તાત્કાલિક અમલમાં આવી ગઈ છે. આના પર સ્ટે લાદવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તેના પર પછીથી વિચાર કરીશું.

કપિલ સિબ્બલની દલીલ
કપિલ સિબ્બલે કહ્યું, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ (1995) હેઠળ બધા બોર્ડ મુસ્લિમ હતા. હિન્દુ અને શીખ બોર્ડમાં પણ બધા સભ્યો હિન્દી અને શીખ છે. નવા વક્ફ સુધારા કાયદામાં, ખાસ સભ્યોના નામે બિન-મુસ્લિમોને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવો કાયદો અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. આના પર CJI ની બેન્ચે કહ્યું કે તે સરકારને પૂછવા માંગે છે કે વક્ફ બોર્ડમાં બે બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા ન્યૂનતમ રાખવામાં આવે છે કે મહત્તમ.

વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરતી વખતે કપિલ સિબ્બલે પોતાનો વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, તમે એક એવા અધિકારીને નોમિનેટ કર્યા છે જે સરકારનો અધિકારી છે, આ (સ્વાભાવિક રીતે) ગેરબંધારણીય છે.’ આ આપણો ત્રીજો પડકાર છે. ચોથો પડકાર એ છે કે જો કોઈ સ્મારકને સંરક્ષિત જાહેર કરવામાં આવ્યું હોય, અથવા તેને વકફ જાહેર કરવામાં આવ્યું હોય, તો તે ઘોષણા ગેરકાયદેસર ગણવી જોઈએ.

આના પર CJI સંજીવ ખન્નાએ કહ્યું, આવા કેટલા કેસ છે?’ મારી સમજ મુજબ આ અર્થઘટન તમારા પક્ષમાં લાગે છે. જો કોઈ મિલકતને પહેલા વકફ તરીકે જાહેર કરવામાં આવી હોય અને પછીથી તેને પ્રાચીન સ્મારક જાહેર કરવામાં આવે, તો કોઈ વાંધો નથી – તે વકફ જ રહેશે. તમારે ફક્ત ત્યારે જ વાંધો ઉઠાવવો જોઈએ જ્યારે કોઈ મિલકતને પહેલા સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હોય અને પછીથી વક્ફ જાહેર કરવામાં આવી હોય.

Most Popular

To Top