સિંચાઇ વિભાગના કામમાં પ્રગતિ, પરંતુ કોર્પોરેશન પર પ્રશ્નચિહ્ન વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી માટે શરૂ થનારા પ્રોજેક્ટે જોર પકડ્યું છે. વડોદરા શહેરમાંથી પસાર...
અધિકારીઓ પાસેથી આ કામનો ખર્ચ વસૂલ કરવા માંગણી : સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો પાલિકા લોકોના વેરાના પૈસા વેડફી રહ્યા છે. અધિકારીઓ ભણ્યા તો...
ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ફાર્મા કંપનીમાં વહેલી સવારથી તપાસ શરૂ, કર્મચારીઓની પૂછપરછ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર લાઈટોના અંડરગ્રાઉન્ડ કેબલો જર્જરિત થઈ જતા તે બદલીને 2.37 કરોડના ખર્ચે નવા નાખવામાં આવનાર...
કામગીરી કોન્ટ્રાક્ટરના ભરોસે છોડી દેવાતા વેઠ ઉતારવામાં આવે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કમાટીબાગ પાસે આવેલા બાલ ભવન નજીક અગાઉ રોડનું...
ડભોઈ માં ભગવાન શ્રીકૃષ્ણ ( શૈલેષ મહેતા ) કયારે શિશુંપાલ ( ? ) નો કયારે વધ કરશે એવી સોશિયલ મીડીયા પોસ્ટથી રાજકીય...
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. મહાકુંભના કાર્યક્રમમાં અતિવ્યસ્ત હોવા છતાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગુરુવારે તા. 23...
બિહારના બેતિયામાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ના ઘરે વિજિલન્સનો દરોડો ચાલુ છે. ગુરુવારે (23 જાન્યુઆરી) સવારે ટીમ દરોડો પાડવા માટે પહોંચી હતી....
ડભોઈ – એકતા નગર ટ્રેન માર્ગ પર આવેલા ઓરસંગ બ્રિજ પર એક સાડા ત્રણ વર્ષની દિપડી નુ ટ્રેન ની અડફેટે આવતા મોત...
પ્રખ્યાત પ્લેબેક સિંગર મોનાલી ઠાકુરની તબિયત તેના લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યાર બાદ...
રાજકોટઃ રાજકોટથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની સિનર્જી હોસ્પિટલમાં સેવા આપતા એક તબીબે આપઘાત કર્યો છે. તબીબે એનેસ્થેસિયાનો વધુ પડતો ડોઝ લઈ...
સુરતઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે તા. 23 જાન્યુઆરીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં વેસુની 5000 વાર જમીન પર 250 કરોડના...
શિનોર તાલુકાના સાધલી ગામે ક્રિશ્ના ક્લિનિક દવાખાનામાં એક સાપ ઘુસી ઞયો હતો. તેથી ત્યાંના દર્દીઓ અને કર્મચારીઓ ભયભીત થયા હતા અને હોસ્પિટલમાં...
શિનોર તાલુકાના સાધલી ગામે સરકારી સ્કૂલો તથા કોલેજ તેમજ અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. શિનોર-શુરાશામળ-મિઢોળ તેમજ અન્ય ગામો ના વિદ્યાર્થીઓને મુસાફરો અપડાઉન...
સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના દેશની આઝાદી માટેના યોગદાનને...
આજરોજ વોર્ડ નંબર 14 માં આવતા વિસ્તાર મંગળ બજાર ,ન્યાય મંદિર વિસ્તારમાં દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી ચાર ટ્રક ભરીને સામાન...
ધારાસભ્યના નામે ઠગોએ ફેસબુક એકાઉન્ટ બનાવીને કાર્યકરોને કોલ કર્યા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલતા સમગ્ર ઘટનામાં ચકચાર મચી ગઈ...
વડોદરા તારીખ 23તરસાલી ખાતેની જમીનો બળજબરીથી પડાવી લેવા કાવતરુ રચી બોગસ કુ.મુ.તૈયાર કરી જીવલેણ હુમલો તથા મારામારી કરવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા...
હેરિટેજ ઈમારતોની જાળવણીના અભાવે ચાર દરવાજા સિનિયર સિટીજનોમાં રોષ પુરાતત્વ વિભાગ પણ ભરનિંદ્રામાં જોવા મળ્યું કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા...
લોસ એન્જલસની ઉત્તરે કાસ્ટેઇક લેક નજીક એક નવી જંગલી આગ ફાટી નીકળી છે, જેના લીધે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની ફરજ...
સુરત: સુરત શહેરમાં હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. નાનપુરા બારહજારી મોહલ્લા કાળજું કંપાવી દે તેવી હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી....
આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો લોગોની મધ્યમાં દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ સરદાર વલ્લભભાઈ પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે...
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. અહીં વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત થયા...
મહારાષ્ટ્રના જલગાંવમાં ગઈકાલે બુધવારે તા. 22 જાન્યુઆરીએ મોટી દુર્ઘટના બની હતી. અહીં લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસના મુસાફરો સાથે મોટો અકસ્માત...
ગુજરાત મિત્ર, રવિવારી પૂર્તિ તા. 19-01-25, બહુશ્રુત કોલમ, ચિરંતના ભટ્ટ લિખીત લેખ, કેલિફોર્નિયા વાઈલ્ડ ફાયર જે હોલીવૂડ ક્ષેત્ર લોસ એન્જિલસમાં તા. 7-1-25ની...
થોડા સમય પહેલા મોહન ભાગવતે દેશની વસ્તી વઘારવા દરેક કટુંબમાં ત્રણ બાળક હોવા જોઇએ એવુ સુચન કરેલ એ પછી મઘ્યપ્રદેશના પરશુરામ કલ્યાણ...
દેશભરમાં ભ્રષ્ટાચારનો કોરોના જબરજસ્ત ફેલાઈ ગયો જે અમલદારો લાખ-સવાલાખનો પગાર લે છે, તેઓ 5-10 હજાર લેતા પકડાવા માંડ્યા છે. લાગે છે દેશના...
જાહેર ખબર દ્વારા ઘણી વાર એક પર એક વસ્તુ નિ:શુલ્ક પ્રાપ્ત થશે એવી માહિતી વેપારી કે ઉત્પાદકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર...
એક વેપારી શેઠ હતા. ઈમાનદારીથી પોતાનો વેપાર કરતા અને હરિભજનમાં મસ્ત રહેતા.સર્વત્ર તેમની ઈમાનદાર વેપારી તરીકેની ખ્યાતિ ફેલાયેલી હતી. રોજ સવારે પૂજા...
ઘણાને યાદ હશે કે ટેલિવિઝનનો યુગ હતો ત્યારે તે ‘ઈડિયટ બૉક્સ’તરીકે ઓળખાતું હતું. તેના આગમન પછી લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હતું....
વર્ષ 2016-17માં 1800 રહેવાસીઓને મકાન આપવાનું વચન હજી અધૂરું
સંજયનગર ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના ફરીથી વિવાદના કેન્દ્રમાં આવી છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સંજય નગર આવાસ મામલે આરટીઆઇના માધ્યમથી માહિતી માંગી છે. તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 2016-17માં 1800 વિસ્થાપિત રહેવાસીઓને 18 મહિનામાં મકાન પૂરાં કરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વચન હજુ સુધી પૂરું થયું નથી.
સંજયનગર આવાસ યોજનાની વિગતો માટે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરટીઆઈ અરજી કરી છે. આ આરટીઆઈમાં તેમણે કોન્ટ્રાક્ટની તમામ પ્રક્રિયા, સમયગાળો અને કોન્ટ્રાક્ટરના કાર્યની કામગીરી અંગે વિસ્તૃત માહિતી માગી છે.
ચંદ્રકાંત શ્રીવાસ્તવે સંજયનગર આવાસ યોજનાના વિવિધ મુદ્દાઓ પર માહિતી માંગી છે જેમાં કોન્ટ્રાક્ટની જાહેરાત ક્યારે કરવામાં આવી અને એગ્રીમેન્ટ બાદ કામગીરી શરૂ થવામાં કેટલો સમય લાગ્યો ? કોન્ટ્રાક્ટર સમયસર કામ ન કરે તો તેને બ્લેકલિસ્ટ કરવા માટે શું નીતિ અથવા નિયમો છે ? શું 1800 પરિવારોને દર મહિને 2000 રૂપિયાનું વચન પૂરું કરવામાં આવ્યું છે ? સાથે જ તેમણે હયાત જંત્રીના ભાવ અને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારના જંત્રીના ભાવ વિશે પણ અહિતી માંગી છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે તીવ્ર વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરને તરત જ બ્લેકલિસ્ટ કરવા માગ કરી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં જણાવ્યું કે આ યોજનામાં ઘણી ગેરરીતિઓ થઈ છે, અને વિસ્થાપિત રહેવાસીઓ આજે પણ પોતાના ઘરના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિપક્ષના નેતાઓએ દાવો કર્યો હતો કે સત્તાધીશો જનતાના હિતને અવગણીને કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાનું કાવતરૂ કરી રહ્યા છે. તેઓએ આ મુદ્દે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી.