મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે પદ સંભાળ્યાના માત્ર 26 દિવસમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે (22 એપ્રિલ, 2026) તેમણે પોતાની નાણાકીય સંપત્તિ અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓની નિષ્પક્ષ તપાસની જરૂરિયાત દર્શાવીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો. સુધન ગુરુંગે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી.
સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટા સાથે વ્યવસાયિક ભાગીદારી તેમજ સૂક્ષ્મ-વીમા કંપનીઓમાં શંકાસ્પદ રોકાણોના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. દીપક ભટ્ટા પર મની લોન્ડરિંગના આરોપો છે અને હાલમાં તેમની સામે તપાસ ચાલી રહી છે.
ગૃહમંત્રી બન્યા પછી સુધન ગુરુંગે ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું જો કે હવે તેઓ પોતાના ખાનગી રોકાણોને કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે. વ્યાપક જાહેર વિરોધને પગલે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. સુધન ગુરુંગે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું: “મારા પર લગાવવામાં આવેલા આરોપોની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે અને પદ સંભાળતી વખતે કોઈપણ હિતોના સંઘર્ષને ટાળવા માટે તેમજ તપાસ પ્રક્રિયા પર કોઈપણ સંભવિત પ્રભાવને રોકવા માટે મેં ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.”
સુધન ગુરુંગે કહ્યું: “મારા માટે, નૈતિકતા કોઈપણ પદથી ઉપર છે અને જનતાના વિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી. નેપાળમાં ચાલી રહેલી ‘જનરલ ઝેડ’ ચળવળ જે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીની માંગ કરે છે. એ પણ આ સંદેશ આપ્યો છે કે જાહેર જીવન સ્વચ્છ હોવું જોઈએ અને નેતૃત્વ જવાબદાર હોવું જોઈએ. જો કોઈ આ સરકાર વિશે પ્રશ્નો ઉઠાવે છે જે મારા 46 ભાઈઓ અને બહેનોના લોહી અને બલિદાન દ્વારા રચાયેલી છે. તો જવાબ નૈતિકતા જાળવવામાં રહેલો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
સુધન ગુરુંગે જનતાને અટકળોમાં ન જોડાવાની અપીલ કરી, નોંધ્યું કે હાલમાં અસંખ્ય અફવાઓ ફેલાઈ રહી છે. તેમણે ટિપ્પણી કરી કે આરોપો અને સત્ય એક જ નથી. નિર્ણયો પુરાવા પર આધારિત હોવા જોઈએ, લાગણીઓ પર નહીં. હું પક્ષ દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને સમર્થન આપીશ અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ.