રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
નિષ્ઠાવાન કાર્યકરો હાંસિયામાં, બળવાખોરોને મળ્યા મલાઈદાર હોદ્દા; સાંસદ ડૉ. હેમાંગ જોશીની સંગઠન પરની પકડ સામે ઉઠ્યા સવાલો
વડોદરા શહેર ભાજપના સંગઠન માળખામાં લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલી યુવા મોરચાની નિમણૂકો જાહેર થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ અને વિવાદોનો વંટોળ શરૂ થયો છે. વડોદરા મહાનગર યુવા મોરચાના હોદ્દેદારોની યાદીમાં એવા નામો ચમક્યા છે જેમણે અગાઉ ભાજપની જ વિદ્યાર્થી પાંખ ગણાતી એબીવીપી સામે બળવો કર્યો હતો.
સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વિગતો મુજબ, વિદ્યાર્થીકાળમાં એબીવીપી સામે મેદાનમાં ઉતરનાર અને ‘વિદ્યાર્થી વિકાસ પરિષદ’ ના બેનર હેઠળ ચૂંટણી લડનારા કક્ષા પટેલ અને પાર્થ પંડ્યાને સંગઠનમાં મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. કક્ષા પટેલની નિમણૂક ઉપ પ્રમુખ તરીકે અને પાર્થ પંડ્યાની નિમણૂક મંત્રી તરીકે કરવામાં આવી છે.
આ નિમણૂકોને લઈને પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોનું કહેવું છે કે, “જે લોકોએ પક્ષની વિચારધારા સામે જંગ છેડ્યો હતો, તેમને પક્ષમાં હોદ્દા આપીને નવાજવામાં આવ્યા છે, જ્યારે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના થઈ છે.”
આ સમગ્ર વિવાદમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી પણ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકો અને નારાજ જૂથનું માનવું છે કે, સંગઠનના પદો પર આવી વિવાદાસ્પદ નિમણૂકો થવી એ સ્થાનિક નેતૃત્વની નિષ્ફળતા સૂચવે છે. એક તરફ જ્યારે ભાજપ શિસ્ત અને કેડર-બેઝ્ડ હોવાની વાતો કરે છે, ત્યારે સાંસદ તરીકે ડૉ. હેમાંગ જોશી પોતાના જ મતક્ષેત્રમાં એવા લોકોના નામો ફિલ્ટર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેઓ ભૂતકાળમાં પક્ષની પાંખ સામે જ પડ્યા હતા. વડોદરા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓ વચ્ચે સાંસદની નિષ્ક્રિયતા અથવા અમુક ચોક્કસ જૂથને પ્રોત્સાહન આપવાની નીતિ પક્ષને નુકસાન કરી શકે છે. ડૉ. હેમાંગ જોશી યુવા સાંસદ હોવા છતાં, યુવા મોરચાની નિમણૂકોમાં થયેલો આ છબરડો તેમની વહીવટી પકડ અને સંગઠન શક્તિ પર સવાલિયા ચિહ્ન મૂકે છે.
હાલમાં તો આ નિમણૂકોના કારણે વડોદરા ભાજપનું રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં આ અસંતોષ કયું સ્વરૂપ લે છે અને સાંસદ ડૉ. હેમાંગ જોશી આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.