નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ...
અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં...
ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી...
મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં...
અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ...
કૃષિ કાયદા (KRISHI BILL)ના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે આઠમી વાટાઘાટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે પણ વાતચીત નિરર્થક રહી હતી....
મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને...
રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી...
શિવસેનાના સાંસદ સંજય રાઉત(SANJAY RAUT)ની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસમાં પહોંચી હતી. 5 જાન્યુઆરીએ તેમને પીએમસી બેંક કૌભાંડમાં મની લોન્ડ્રીંગની...
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
સુરત : ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટ અને લોધીકામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાત પર છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લાવનાર ડિપ ડિપ્રેશનની સિસ્ટમ હાલમાં પાટણથી 10 કિમી દૂર ગુજરાત – પાક બોર્ડર પર સ્થિર રહેલી છે. જે પશ્વિમ – દક્ષિણ – પશ્વિમ દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમનો વ્યાપ એટલો મોટો છે કે તેણે આખુ ગુજરાત આવરી લીધુ છે.રાજયમાં રવિ, સોમ અને મંગળવાર સુધીના ત્રણ દિવસની અંદર 15 લોકોનું મૃત્યુ થયુ છે. જયારે 1700 લોકોનું રેકસ્યૂ કરાયુ છે. એકલા ગાંધીનગરના દહેગામ ખાતે બે તળાવ ઓવર ફલો થઈ જતાં , નીચાણવાળા વિસ્તારમાંથી 108 લોકોને બચાવી લેવાયા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ , રાજયમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ માટેનું રેડ અલર્ટ જારી કરાયુ છે. જેમાં ખાસ કરીને ખેડા , અમદાવાદ, આણંદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર, વડોદરા , છોટા ઉદેપુર , ડાંગ , તાપી, સુરત , નર્મદા, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , સરેન્દ્રનગર , રાજકોટ , જામનગર, પોરબંદર , જુનાગઢ , અમરેલી, ભાવનગર, મોરબી , દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ , કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ભારે વરસાદથી 15 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ ભારે વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તેવામાં જુદા જુદા બનાવોમાં 15 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ ગઈકાલે જન્માષ્ટમીએ ગાંધીનગરના કલોલ શહેરમાં એક મકાનની દિવાલ પડી જતા બે વ્યક્તિઓનું દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આણંદના તારાપુર નજીકના ઈસરવાડા ગામે તેમજ બોરસદના સિસ્વા ગામે પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ખેડાના અલીણા ગામે એક મકાનની દિવાલ ઘસી પડતા એક વ્યક્તિ દટાઈ જતા મૃત્યુ પામ્યું છે, તેમજ વડોદરાના સાવલી ગામે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ ઉપરાંત હળવદ તાલુકાના ઢવાણા ગામે ધસમસ્તા પાણીમાં એક ટ્રેક્ટર ડૂબી જતાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પૈકી પાંચ વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે પાણીના પ્રવાહમાં રીક્ષા તળાઈ જ ગઈ હતી. આ રીક્ષામાં બેઠેલ 5 વ્યક્તિઓ પૈકી એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેવી જ રીતે મળતી માહિતી મુજબ બુટાવાડા ગામ પાસેની એક નદીમાં એક વ્યક્તિ તળાઈ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.અમદાવાદમાં પણ મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. આમ રાજ્યભરમાં જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે તા.27મી ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટમાં 8 ઈંચ , લોધીકામાં 8 ઈંચ , રાજકોટના કોટડા સાંગાણીમાં 8 ઈંચ ,દ્વારકાના કલ્યાણપુરમાં સાડા સાત ઈંચ , ખંભાળીયામાં સાડા સાત ઈંચ , જામનગરમાં 7.3 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ , પોરબંદરના રાણાવાવમાં 6.6 ઈંચ , કાલાવાડમાં 6.5 ઈંચ , પોરબંદરમાં 6 ઈંચ , જામજોધપુરમાં 6 ઈંચ , લાલપુરમાં 5.4 ઈંચ , ગોંડલમાં 5.3 ઈંચ , દ્વારકામાં 5 ઈંચ , જામકંડોરણામાં 4.7 ઈંચ , ધોરાજીમાં 4.7 ઈંચ , ચોટીલામાં 4 ઈંચ , વિસાવદરમાં 4 ઈંચ , કેશોદમાં 4 ઈંચ , નડિયાદમાં 4 ઈંચ , વંથલીમાં 4 ઈંચ , વાંકાનેરમાં 4 ઈંચ , મહુધામાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 112 તાલુકાઓ એવા છે કે જયા 1થી 8 ઈંચ જેટલો વરસાદ થયો છે.
જન્માષ્ટમીએ ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન એટલે કે જન્માષ્ટમીએ મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.