‘સુરત’ આ શબ્દ સાથે અને શહેર સાથે મોટો ઇતિહાસ સંકળાયેલો છે. આ શબ્દને લઇ ભૂતકાળમાં થોડું ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે...
પુડુચેરી સરકારનું પતન કોંગ્રેસને આભારી નથી. અનિવાર્ય હતું તે બન્યું છે, પણ અણધાર્યું નથી. ભારતને કોંગ્રેસમુકત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન...
આખરે, દક્ષિણ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકારનું પતન થયું. વી.નારાયણ સામીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ...
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધાર્મિક સંવેદનશીલતાના નામે ઘણી ફિલ્મો, ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ વિરોધ, રોષ, આંદોલન, બૉયકોટ અને હિંસાનો શિકાર બન્યા છે....
વડોદરા: એક ભાજપના કાર્યકર કંચનભાઈ ગરોડાએ ચાલુ સભાએ ઉભા થઈને મધુભાઈને કહયું હતું કે, સયાજીપુરાની સભામાં તમે ‘‘પોલીસ અને કલેકટરને ગજવામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) શનિવારે પ્રથમ ‘ધ ઈન્ડિયા ટોય ફેર’ (the india toy fair ) નું ઉદઘાટન કરશે. શિક્ષણ...
વડોદરા: સ્થાિનક સ્વરાજયની ચૂંટણી આડે હવે ગણતરીના િદવસો બાકી રહયા છે. તે પૂર્વ મતદારોને વિદેશી શરાબ અને નાણાંનું પ્રલોભન આપવાનું શરૂ થયું...
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હાલમાં ફરી ચૂંટણીને કારણે વધવા માંડતા રાજ્ય સરકાર દ્વારા ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદત આગામી તા.15મી માર્ચ...
મહારાષ્ટ્રના નાસિક એરપોર્ટના એપીડી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે સ્પાઇસ જેટ એરલાઇન્સ ઉનાળું સિઝનમાં 28 માર્ચથી નાસિક-સુરતને જોડતી નોન-સ્ટોપ...
આગામી તા.28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા હતા. રાજકીય પક્ષો...
અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં જોરદાર ઉછાળો થતાં વિશ્વભરના બજારોની પાછળ ભારતીય શેરબજારોમાં પણ કોહરામ મચી જવા પામ્યો છે અને સપ્તાહના અંતિમ દિવસે ભારતીય...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આયોજન માટે ચારથી પાંચ સ્થળો પર વિચારણા કરી રહ્યું છે, કારણકે...
યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણને મંજૂરી આપ્યા બાદ ભાગેડુ હિરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની કોશીશો વધુ ઝડપી બની છે. મુંબઇની આર્થર રોડ...
કોરોના રસીકરણ કાર્યક્રમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન બંધ રહેશે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ વય ધરાવતાં અને 45 વર્ષથી...
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોરોના વાયરસ રસી બદલ આભાર માન્યો છે. ડબ્લ્યુએચઓનાં ચીફ ટ્રેડોસ એડેનહામ ગ્રેબ્રેયસે ગુરુવારે કહ્યું...
ગૃહમંત્રાલયે શુક્રવારે કહ્યું કે હાલની કોવિડ -19 માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે જ્યારે સક્રિય અને...
સતત બે ત્રિમાસિકમાં સંકોચાયા બાદ ભારતીય અર્થતંત્ર હવે સકારાત્મક ટેરિટરિમાં પ્રવેશ્યું છે. ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીમાં 0.4%નો વધારો જોવા મળ્યો જેનું મુખ્ય કારણ...
નવી દિલ્હી, તા. 26 (પીટીઆઇ) : ભારતીય ટીમ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુકેલા કર્ણાટકના અનુભવી મધ્યમ ઝડપી બોલર આર. વિનય કુમારે શુક્રવારે...
લંડન, તા. 26 (પીટીઆઇ) : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઇ જવાના કારણે નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) જીએસટીના કાયદામાં છેલ્લા ચાર વર્ષમાં થઇ રહેલા સતત ફેરફાર, પેટ્રોલની વધી રહેલી કિમતો, ઇ-વેવિલની અનિવાર્યતા સહિત 16 જેટલા મુદ્દાઓને લઇ...
વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)નો 51 મો પદવીદાન સમારોહ (CONVOCATION) યોજાયો હતો જેમાં 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36614 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Nagar Palika Election) તેમજ ધરમપુર નગરપાલિકાની ચૂંટણી-૨૦૨૧ની પૂર્વ તૈયારી પૂર્ણ...
રાજ્ય સરકારનું અંદાજપત્ર (Gujarat Government Budget) પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે આજે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી...
ગોધરા : ગોધરામા લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ની ચૂંટણી ની જાહેરસભા યોજાઇ હતી. જેમાં મુખ્ય મંત્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો...
નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ વતી 57 વન...
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો સાથે 8 તબક્કામાં મતદાન...
સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52 મા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) પછી હવે દેશની રાજધાની દિલ્હી ( DELHI) માં પણ કોરોના કેસ ( CORONA CASE) વધી રહ્યા છે. છેલ્લા ત્રણ...
આમ આદમી પાર્ટીના (AAP) ભવ્ય વિજય બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શુક્રવારે સુરત (Surat) આવ્યા હતાં. બપોરે સુરતના વરાછા વિસ્તારમાં...
નબળા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર ( STOCK MARKET) માં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઈ ( BSE) સેન્સેક્સ ( SENSEX) 1,939 અંક...
સુરતઃ ત્રણ અઠવાડિયા પહેલાં સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક બંગ્લા પર મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું લોન્ચર મશીન પડ્યું હતું. આ ઘટનાના 20 દિવસ વીતી ગયા બાદ આજે મેટ્રો પ્રોજેક્ટના કર્મચારીઓએ 135 ટનનું લોન્ચર મશીન હટાવ્યું છે. મશીનને ખસેડી લાકડાના ટેકા પર ઉભું કરાયું છે. જોકે, હજુ પણ મેટ્રોની ક્રેઈન જેમની તેમ છે. તેને હજુ બંગલા પરથી ખસેડવામાં આવી નથી. તેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે 20 દિવસ બાદ બે હેવી ક્રેઈનથી 135 ટનનું લોન્ચર મશીનને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. લોન્ચર મશીન હટાવતા પહેલાં પુજા કરવામાં આવી હતી. બંગલા પર પડેલી ક્રેઈનને હટાવતા પહેલાં આ લોન્ચર મશીનને ખસેડવાની કામગીરી કરાઈ છે. આ કામગીરીમાં 50 જેટલાં કર્મચારીઓ જોડાયા હતા. લોન્ચર મશીન જ્યારે ઊંચું કરાયું ત્યારે લોખંડનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે આખો વિસ્તાર તે અવાજથી ગુંજી ઉઠ્યો હતો.
દરમિયાન લોન્ચર ખસેડવાની કામગીરી પહેલાં મેટ્રોના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ચકમક ઝરી હતી. મેટ્રોના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. મેટ્રોના કર્મચારીઓએ પાંચ બાઉન્સર ગોઠવી રસ્તો બંધ કરી દીધો હતો. બાઉન્સરો સ્થાનિકોને અંદર પ્રવેશવા દેતા ન હતા. લગભગ સાડા ત્રણ કલાક સુધી લોકોને બાનમાં લેવામાં આવ્યા હતા. લોન્ચર હટાવાયા બાદ લોકોને અવરજવર કરવા દેવાઈ હતી.
દરમિયાન સ્થાનિકોએ એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે લોન્ચર તો હટાવી દીધું પરંતુ બંગલા પર પડેલી ક્રેઈન ક્યારે ઉતારવામાં આવશે. આ મામલે ગુજરાત મેટ્રો રેલ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવી રહ્યો નથી.
નોંધનીય છે કે પાંચ દિવસ પહેલાં જ બંગલાના માલિકે લોન્ચર મશીન હટાવવા પરમિશન આપી હતી. મંજૂરી મળ્યાના પાંચ દિવસે લોન્ચર હટાવાયું છે. હજુ ક્રેઈન હટાવાઈ નથી. તેથી લોકોમાં રોષ છે. સોસાયટીના લોકો છેલ્લા 20 દિવસથી સોસાયટીની અંદર-બહાર જવા અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
શું બની હતી ઘટના?
ગઈ તા. 22 ઓગસ્ટ 2024ની સાંજે નાના વરાછા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોન્ચર ચડાવતી વખતે બે ક્રેઈન તુટી ગઈ હતી. એક ક્રેઈન અને ગર્ડર લોન્ચરનો હિસ્સો રસ્તાની સાઈડ પર યમુના નગર સોસાયટીના એક બંગલા પર પડ્યો હતો. આ ઘટનામાં બંગલાને મોટું નુકસાન થયું હતું. સદ્દનસીબે તે સમયે બંગલો બંધ હોવાના લીધે કોઈને ઈજા થઈ નહોતી.