National

એક જ રાતમાં 7 માતાએ વ્હાલસોયા બાળક ગુમાવ્યા, ભોપાલની હોસ્પિટલમાં આગ લાગતા અનેક પરિવારોની ખુશી છીનવાઈ

મધ્યપ્રદેશની (Madhya pradesh) રાજધાની ભોપાલ (Bhopal) માટે સોમવારની રાત કમનસીબ પૂરવાર થઈ હતી. અહીંના કમલા નહેરૂ હોસ્પિટલમાં (Kamla Nehru Hospital) રાત્રે એકાએક આગ (Fire) ફાટી નીકળી હતી, જેમાં 7 નવજાત શિશુના મોત થયા હોવાના અહેવાલ છે. આંખ ખોલી દુનિયાને જોઈ તે પહેલાં જ આ બાળકો આગની જવાળાઓમાં હોમાઈ ગયા હતા. હોસ્પિટલ બહાર બાળકોના માતા-પિતાનો આંક્રદ અટકી રહ્યો નહોતો. વ્હાલસોયાને હજુ છાંતી એ ચાંપીને મન ભરીને વ્હાલ પણ કર્યો નહોતો તે પહેલાં ભડથું થઈ ગયેલા તેના દેહને જોઈ માતા-પિતા ભાંગી પડ્યા હતા.

એક પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. લગ્નના 12 વર્ષ થયા બાદ ઈરફાના નામની મહિલાનો ખોળો ભરાયો હતો. કેટલીય બાધાઓ રાખ્યા બાદ અલ્લાહ તેની પર મહેરબાન થયા હતા, પરંતુ આ ખુશી પણ લાંબો સમય ટકી નહીં. બાળકના જન્મના થોડા જ સમયમાં હોસ્પિટલમાં આગ લાગી હતી. તેનું નામ પાડે તે પહેલાં તો તે દુનિયા છોડી ગયો. ઈરફાનાએ રડતાં રડતાં કહ્યું કે માત્ર એક વાર દૂરથી મારા દીકરાનો ચહેરો બતાવો. મેં મારા બાળકને ખોળામાં બરાબર ઉછેર્યો પણ ન હતો કે તે દુનિયા છોડી ગયો. હવે તે એક ખૂણામાં બેસીને રડી રહી છે.

ભોપાલના ગૌડમ નગરમાં રહેતી ઇરફાનાએ દિવાળીના બે દિવસ પહેલા 2 નવેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો. વર્ષો પછી જ્યારે પરિવારમાં ખુશીઓ આવી ત્યારે ઘરનો દરેક સભ્ય ખુશ હતો. ઈરફાનાની નોર્મલ ડિલિવરી થઈ હતી. જોકે માસૂમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી પરિવારના સભ્યોએ તેને કમલા નેહરુના ચાઈલ્ડ વૉર્ડમાં દાખલ કર્યો હતો. પરંતુ સોમવારે રાત્રે તેની તમામ ખુશીઓ બરબાદ થઈ ગઈ હતી. તેને બહુ ઓછી ખબર હતી કે જે લાલને તેણે વ્રત કર્યા પછી જન્મ આપ્યો હતો.તે આ દુનિયામાં માત્ર પાંચ દિવસ માટે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે જે સમયે બાળકોના વોર્ડમાં આગ લાગી હતી તે સમયે ઈરફાના હોસ્પિટલ પરિસરમાં બહાર સૂઈ રહી હતી. આગ લાગતાની સાથે જ ઈરફાનાને હોસ્પિટલની બહાર ફેંકી દેવામાં આવી હતી. સવારે 4 વાગે બાળકના મૃત્યુની જાણ થઈ ત્યારે તે મોટેથી રડવા લાગી. જેણે પણ આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોયું તેની આંખોમાં આંસુ આવી ગયા. લાચાર માતા વારંવાર એક જ વિનંતી કરતી હતી કે તેને તેના જીગરના ટુકડા જોવા દેવા જોઈએ.

Kamla Nehru Hospital Fire News : અંદર ધુમાડો, બહાર અરાજકતા, 4 માસુમના મોત | Kamla  Nehru Hospital Fire News: Smoke inside, chaos outside, death of 4 children  - Gujarati Oneindia

આગ લાગી તે પહેલાં નર્સ અને વોર્ડ બોય વચ્ચે ઝઘડો થયો હતો

આગની ઘટનામાં બાળક ગુમાવનાર એક માતાએ એવો આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી છે. આગ લાગી તે પહેલાં જ એક નર્સ અને વોર્ડબોય વચ્ચે કોઈક બાબતે મોટો ઝઘડો થયો હતો. ત્યારે તેઓ બોલતા હતાં કે કોઈ આ હોસ્પિટલમાંથી હસતા નહીં જાય.

Fire breaks out in Kamala Nehru Hospital's children's ward, 7 children  trapped, cylinder ruptured | કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં 4  નવજાત બાળકનાં મોત, 36નો આબાદ બચાવ - Divya Bhaskar

મુખ્યમંત્રીએ અકસ્માતનો રિપોર્ટ માંગ્યો

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સિલિન્ડર કે વેન્ટિલેટરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ શોર્ટ સર્કિટની શક્યતા પણ નકારી શકાતી નથી. મુખ્યમંત્રીના કેસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સાથે બાળકોની સુરક્ષા અને સારવાર માટે હોસ્પિટલ મેનેજમેન્ટને સૂચના આપવામાં આવી છે. CM શિવરાજ સિંહ ચૌહાણે અધિક મુખ્ય સચિવને તપાસ સોંપી છે. આ ઉપરાંત મૃતક નવજાત બાળકોના નજીકના સગાઓને રૂ.4 લાખના આર્થિક વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top