National

કર્ણાટકના શિવમોગામાં જીલેટિન ભરેલી ટ્રકમાં ધમાકો, 8 લોકોનાં મોત

KARNATAK : કર્ણાટકના શિવમોગા (SHIVMOGA) જિલ્લામાં ગુરુવારે રાત્રે વિસ્ફોટક વહન કરનાર ટ્રકમાં વિસ્ફોટ થયો હતો અને જે બાદ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આંચકા અનુભવાયા હતા. ઘટના અંગે પોલીસે આ માહિતી આપી હતી. માનવામાં આવે છે કે વિસ્ફોટકો માઇનિંગના હેતુથી વહન કરવામાં આવ્યા હતા.

આ વાતની પુષ્ટિ કરતાં શિવમોગાના જિલ્લા કલેક્ટર કે.બી. શિવકુમારે જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને લખ્યું છે કે શિવમોગામાં થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આ ઉપરાંત કચેરીએ મૃતકોના પરિવારજનોમાં શોક વ્યક્ત કર્યો હતો.વડા પ્રધાન કચેરીએ પણ ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રાજ્ય સરકાર દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વિટ કર્યું છે કે આ અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિસ્ફોટ રાત્રે સાડા દસ વાગ્યે પથ્થર તોડવાના સ્થળે થયો હતો, જેના કારણે માત્ર શિવમોગા જ નહીં, નજીકના ચિકમગલગુરુ અને દવનાગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા. સાક્ષીઓ કહે છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરોની બારીના કાચ પણ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર તિરાડો પણ આવી હતી. વિસ્ફોટના કારણે એવું લાગ્યું હતું કે જાણે ભૂકંપ આવી ગયો હોય અને આ બાબતે ભૂસ્તરશાસ્ત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે ભૂકંપ આવ્યો નથી. પરંતુ શિવમોગાની હદમાં ગ્રામીણ પોલીસ મથક હેઠળ હંસુરમાં વિસ્ફોટ થયો હતો. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલેટીન ભરેલી એક ટ્રકમાં ધમાકો થયો હતો. ટ્રકમાં રહેલા છ કામદારોનાં મોત નીપજ્યાં હતાં. કંપન સ્થાનિક રીતે અનુભવાયું હતું. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top