National

પીએમ મોદીએ નવા મંત્રીઓ સાથે શરૂ કર્યું કામ, સ્પષ્ટ સૂચના- આ ત્રણ લક્ષ્મણરેખા ન ઓળંગશો

નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણના 2 કલાકની અંદર જ વડાપ્રધાન મોદીએ નવી ટીમને વિભાગોની જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી હતી. મંત્રીમંડળમાં (Cabinet) મોટા ફેરફારના બીજા જ દિવસથી એટલે કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓ સાથે કામ શરૂ કરી દીધુ છે. ગૃહમંત્રી અમિત શાહને સૌથી નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, એટલે કે સહકારિતા મંત્રાલય આપવામાં આવ્યું છે. હાર્વર્ડમાં શિક્ષણ મેળવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉડ્ડયન મંત્રાલય તેમ જ IITથી પોસ્ટ ગ્રેજ્યુએટ અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. હાલના કોરોનાના મહત્વપૂર્ણ સમયમાં મનસુખ માંડવિયાને પીએમ મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપ્યુ છે. ઉપરાંત તેઓને રસાયણ અને ખાતર મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે. કોવિડ-19ની લડતમાં તેઓ એક મહત્વપૂર્ણ સમયે આ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.

બુધવારે મોદીએ પોતાના નવા મંત્રીઓને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. બીજી વાત તેમણે કહી કે અગાઉની સરકારો યોજનાઓની ઘોષણા કરતી, પાયાના પથ્થરો પણ નાખવામાં આવતા, પરંતુ કામ દાયકાઓથી પૂર્ણ થયું ન હતું. તેમની સરકારની દરેક યોજનાની સાથે, તેને પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ નિશ્ચિત છે અને તે મુજબ જ કામ થવું જોઈએ. પીએમઓ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પ્રધાન બનવાની ઉજવણીમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થવું જોઈએ. પીએમ મોદીએ નવા મંત્રીઓને નિખાલસ રીતે કહ્યું છે કે તેઓ હદથી વધારે મીડિયા સાથે સંપર્કમાં ન રહેવા જોઈએ. પ્રધાનમંત્રીએ સૂચના આપી કે જો જરૂર હોય તો જ મીડિયા સાથે વાત કરો, મીડિયાને બેજવાબદારી પૂર્વકના નિવેદનો આપશો નહીં.

કેબિનેટ કક્ષાના મંત્રીઓ

નામમંત્રાલય
1નરેન્દ્ર મોદી, વડાપ્રધાનમિનિસ્ટ્રી ઓફ પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, પોલિસી ઈસ્યુ,
2રાજનાથ સિંહસંરક્ષણ મંત્રાલય
3અમિત શાહગૃહ મંત્રાલય, સહકારિતા મંત્રાલય
4નીતિન ગડકરીમાર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય
5નિર્મલા સીતારમણનાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતો
6નરેન્દ્ર સિંહ તોમરકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
7એસ. જયશંકરવિદેશ મંત્રાલય
8અર્જુન મુંડાઆદિવાસી બાબતો
9સ્મૃતિ ઈરાનીમહિલા અને બાળવિકાસ
10પીયૂષ ગોયલકોમર્સ અને ઉદ્યોગ, ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ
11ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણ, કૌશલ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા
12પ્રહલાદ જોશીસંસદીય બાબતો, કોલસા અને ખાણ
13નારાયણ રાણેસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો
14સર્વાનંદ સોનોવાલબંદરો, જહાજો અને જળમાર્ગ, આયુષ
15મુખ્તાર અબ્બાસ નકવીલઘુમતી બાબતો
16વિરેન્દ્ર કુમારસામાજિક ન્યાય અને સશક્તિકરણ
17ગિરિરાજ સિંહગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ
18જ્યોતિરાદિત્ય સિંધિયાનાગરિક ઉડ્ડયન
19રામચંદ્ર પ્રસાદ સિંહસ્ટીલ મંત્રાલય
20અશ્વિની વૈષ્ણવરેલવે, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી
21પશુપતિ કુમાર પારસખાદ્ય પ્રક્રિયા બાબતો
22ગજેન્દ્ર સિંહ શેખાવતજળશક્તિ
23કિરણ રિજિજુકાયદા અને ન્યાય
24રાજકુમાર સિંહવીજ, પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય
25હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આવાસ અને શહેરી બાબતો
26મનસુખ માંડવિયાસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર
27ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, જંગલ, આબોહવા, શ્રમ અને રોજગાર
28મહેન્દ્રનાથ પાંડેભારે ઉદ્યોગ
29પુરુષોત્તમ રૂપાલામત્સ્યપાલન, પશુપાલન, ડેરી
30જી. કિશન રેડ્ડીસાંસ્કૃતિક, પર્યટન, ઉત્તરપૂર્વ વિકાસ બાબતો
31અનુરાગ ઠાકુરમાહિતી અને પ્રસારણ, યુવા અને રમત-ગમત

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર બાદ આજે અનેક નવા નિમાયેલા મંત્રીઓએ પોત પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં નવા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, નવા રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, નવા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, તથા કાયદા મંત્રી કિરણ રિજિજૂ સામેલ છે. બીજી તરફ ઈન્દ્રજિત સિંહ રાવને આંકડાકીય અને કાર્યક્રમો અમલીકરણ, આયોજન, કોર્પોરેટનો અને ડો.જિતેન્દ્ર સિંહને વિજ્ઞાન અને ટેકનોલોજી,અર્થ સાયન્સ, PMO, પર્સનલ, જાહેર ફરિયાદ, પરમાણુ ઊર્જા, અવકાશનો રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્ય કક્ષાના મંત્રીઓ

નામમંત્રાલય
1શ્રીપદ નાયકબંદર, જહાજ અને જળમાર્ગ, પર્યટન
2ફગ્ગન સિંહ કુલસ્તેસ્ટીલ, ગ્રામીણ વિકાસ
3પ્રહલાદ સિંહ પટેલજળ શક્તિ, ફૂ઼ડ પ્રોસેસિંગ
4અશ્વિની કુમારગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર, પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન બાબતો
5અર્જુન મેઘવાલસંસદીય બાબતો, સાંસ્કૃતિક બાબતો
6વીકે સિંહમાર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન
7કૃષ્ણ પાલવીજ, ભારે ઉદ્યોગ
8દાનવે રાવસાહેબ દાદારાવરેલવે, કોલસા અને ખાણ
9રામદાસ આઠવલેસામાજિક ન્યાય, સશક્તિકરણ
10સાધ્વી નિરંજન જ્યોતિગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રામીણ વિકાસ
11સંજીવ બાલિયાનમત્સ્યપાલન, પશુપાલન, ડેરી
12પંકજ ચૌધરીનાણાં (ફાઇનાન્સ)
13અનુપ્રિયા પટેલવાણિજ્ય અને ઉદ્યોગ
14એસપી સિંહ બઘેલકાયદા અને ન્યાય
15રાજીવ ચંદ્રશેખરકૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી
16શોભા કરંદલાજેકૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
17ભાનુ પ્રતાપ વર્માસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં સાહસો
18દર્શના જરદોશકાપડ, રેલવે
19વી. મુરલીધરણવિદેશ બાબતો, સંસદીય બાબતો
20મીનાક્ષી લેખીવિદેશ બાબતો, સાંસ્કૃતિક બાબતો
21સોમ પ્રકાશવાણિજ્ય અને ઉદ્યોગ
22રેણુકા સિંહઆદિવાસી બાબતો
23રામેશ્વર તેલીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર
24કૈલાસ ચૌધરીકૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
25અન્નપૂર્ણા દેવીશિક્ષણ
26એ. નારાયણ સ્વામીસામાજિક ન્યાય અને સશક્તિકરણ
27કૌશલ કિશોરઆવાસ અને શહેરી બાબતો
28અજય ભટ્ટસંરક્ષણ, પર્યટન
29બીએલ વર્માઉત્તરપૂર્વ વિકાસ, સહકારિતા મંત્રાલય
30અજય કુમારગૃહ બાબતો
31દેવુસિંહ ચૌહાણકોમ્યુનિકેશન
32ભગવંત ખુબાનવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા, રસાયણ અને ખાતર
33કપિલ પાટીલપંચાયતી રાજ
34પ્રતિભા ભૌમિકસામાજિક ન્યાય અને સશક્તિકરણ
35સુભાષ સરકારશિક્ષણ
36ભાગવત કરાડનાણાં (ફાઇનાન્સ)
37રાજકુમાર રંજન સિંહવિદેશ બાબતો, શિક્ષણ
38ભારતી પ્રવીણ પવારસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતો
39વિશ્વેશ્વર ટુડુઆદિવાસી બાબતો, જળશક્તિ
40શાંતનુ ઠાકુરબંદર, જહાજ અને જળમાર્ગ
41મહેન્દ્રભાઈ મુજપરામહિલા અને બાળવિકાસ, આયુષ
42જોન બારલાલઘુમતી બાબતો
43એલ. મુરુગનમચ્છીપાલન, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ
44નિશીથ પ્રામાણિકગૃહ બાબતો, યુવા બાબતો અને રમત-ગમત
45નિત્યાનંદ રાયગૃહ મંત્રાલય

15 ઓગસ્ટ પહેલા કોઈ દિલ્હી ન છોડે

જોકે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ તમામ નવા પ્રધાનોને 15 ઓગસ્ટ પહેલા દિલ્હી નહીં છોડવાની સૂચના આપી છે. તેમને પહેલા પણ તેમના મંત્રાલયના કામને સારી રીતે સમજવા માટે કહેવામાં આવ્યું છે. મોદી મંત્રી પરિષદના વિસ્તરણ પહેલાં કુલ 12 પ્રધાનોને બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. વડા પ્રધાને તમામ મંત્રીઓના રિપોર્ટકાર્ડ્સ જોવામાં એક મહિનાથી વધુ સમય લીધો હતો અને જેઓ અપેક્ષાઓ પ્રમાણે ન હતા તેઓ છૂટા થયા હતા, પછી ભલે તે કેટલા મોટા પણ હોય. હવે નવા મંત્રીઓ પાસેથી પીએમ મોદીને ઘણી અપેક્ષાઓ છે. જેને લઈને તેમણે 15 ઓગસ્ત સુધી તમામ મંત્રીઓને દિલ્હીમાં રહી પોતાનું કામ પૂરેપૂરી રીતે સમજી લેવા જણાવ્યું છે.

Most Popular

To Top