Gujarat

રાજ્યમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા 11,592 નવા કેસ, 117ના મોત

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 19 સાથે રાજ્યમાં કુલ 117 દર્દીનાં મોત થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8511 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 3194, સુરત મનપામાં 823, વડોદરા મનપામાં 751, રાજકોટ મનપામાં 319, ભાવનગર મનપામાં 214, ગાંધીનગર મનપામાં 117, જામનગર મનપામાં 333 અને જૂનાગઢ મનપામાં 230 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 269, જામનગર ગ્રામ્ય 232, વલસાડ 123, મહેસાણા 507, વડોદરા ગ્રામ્ય 479 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,36,158, વેન્ટિલેટર ઉપર 792 અને 1,35,366 દર્દીઓ સ્ટેબલ છે.

આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 19, સુરત મનપામાં 8, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા મનપામાં 7, વડોદરા ગ્રામ્યમાં 5, રાજકોટ મનપામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 6, જામનગર મનપામાં 8, ભાવનગર મનપા 4, જૂનાગઢ મનપા 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 4, મહેસાણામાં 4, સહિત કુલ 117 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 14,931 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,47,935 દર્દીઓ સાજા થયા છે.

Most Popular

To Top