Vadodara

પતિએ દહેજની માગ કરી નાની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા:  શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી 37 વર્ષીય પરણીતા12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે. અને ઘરકામ કરી પોતાનું અને પુત્રીનું જીવન ગુજરાન ચલાવે છે. પરણિતાના વર્ષ 2008ના ફેબ્રુઆરી મહિનામાં માંજલપુરના રહેવાસી આશિષ દિનેશભાઇ વાઘેલા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પરિણીતા પતિ સાથે સંસાર માંડવા સાસરિયામાં રહેવા ગઈ હતી. દરમિયાન ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી માટે લોકો તેમના ઘરે આવતા હતા. ત્યારે આશિષ પરણીતાને કહેતો હતો કે, આ રૂપિયા તારે ભરવાના છે અને તારી પાસે રૂપિયા ના હોય તો તારી બેન તથા તારા ભાઈ પાસેથી રૂપિયા લઇ આવ અને તું રૂપિયા નહિ લાવેતો તારે આ ઘરમાં રહેવાનું નહિ તેમ કહી ઝગડો કરી માર મારતો હતો.

તેમજ છૂટાછેડા  આપવાની ધમકી આપતો હતો. ગત તા. 27 જુલાઈ 2020 ના રોજ પરિણીતાની નણંદ બિંદુ પરમાર અને તેના પતિ અનિલ પરમાર તેમના ઘરે આવ્યા હતા. પરણીતાએ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માનસિક ત્રાસની સાથે મારઝૂડ કરતા હોવાની વાત નણંદ અને તેના પતિને કરી હતી. ત્યારે નણંદ અને તેના પતિએ ધકધ ધમકી આપી તને આ ઘરમાં રહેવા દઈશું નહિ. તને અને તારી દીકરીને પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો આપીશું નહિ અને ઘરમાંથી કાઢી મુક્શું.

દરમિયાન આ વાતની જાણ પતિ આશિષને થતા તેણે મને ઉઘરાણી માટે ફોન આવ્યા કરે છે. હું ક્યાંથી પૈસા લઈને આવું તેમ જણાવી પરણીતા પાસેથી સોના ચાંદીના દાગીના અને કપડા લઇ લીધા બાદ પરણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરણીતાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ આશિષ દિનેશ વાઘેલા, નણંદ બિંદુ ઉર્ફે બિન્ની અનિલ પરમાર અને નણંદના પતિ અનિલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા, મારઝૂડ, અને ધાકધમકીનો ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top