Gujarat

સૌથી વધુ સુરત મનપામાં 6 સાથે રાજ્યમાં કોરોનાના નવા 16 કેસ

રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ સુરત મનપા 6 સાથે નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,15,712 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના સાજા થવાનો દર 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં સુરત મનપા 6, વલસાડ, અમદાવાદ મનપા, ખેડામાં 2-2, જ્યારે નવસારી, રાજકોટ મનપા, તાપી, વડોદરા મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 158 થઈ છે, જેમાંથી 04 વેન્ટિલેટર પર અને 154 દર્દીઓ સ્ટેબલ છે. શુક્રવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 2,23,464 વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6,12,16,916 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top