Madhya Gujarat

બીલપાડમાં આડાસંબંધના શંકામાં મિત્રએ જ મિત્રને રહેંસી નાંખ્યો

આણંદ : આંકલાવ તાલુકાના બિલવાડ ગામે આડા સંબંધના વ્હેમમાં પરિણીતાના પતિએ એક યુવકને લાકડાના જાડા દંડાથી મારમારી હત્યા કરી નાંખી હતી. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંકલાવના બીલવાડ ગામે રહેતા મણીભાઈ ઉર્ફે બકો મગનભાઈ પઢીયારનો નાનો ભાઇ ગણપત બીલપાડ ડાભીયા વગા સીમમાં આવેલા ખેતરમાં રખોપુ કરતો હતો. આ ખેતરની નજીકમાં મહેશ મગનભાઈ પઢીયારનું ખેતર આવેલું છે.

જે ખેતર તેમના ભાણા ભરત મોહન પઢીયાર ખેડે છે. જે ગણપતનો મિત્ર થતો હોય તે અવાર નવાર ત્યાં જતો હતો. દરમિયાનમાં ગુરૂવારની સાંજના આશરે છ વાગ્યે ગણપત ઘરે હતો તે સમયે ખેતરમાં જવું છું અને જમવાનું ભરતના ઘરે છે. તેમ કહી નિકળ્યો હતો. તે છેલ્લા ચારેક દિવસથી રોજ રાતના ભરતના ઘરે જમતો હતો. જેથી બીજું કંઇ પુછેલું નહતું. જોકે, ગણપત મોડી રાત સુધી ઘરે આવ્યો નહતો. જેથી ભરતના ઘરે ખેતરમાં જમીને ત્યાંથી ખેતરમાં જઇ સુઇ ગયો હોવાનું લાગ્યું હતું. પરંતુ સવારના આશરે સાત વાગે કનુભાઈ ખેતરમાં ગયા તે સમયે ગણપત શેઢા નજીકમાં મુકેલા ખાટલાની બાજુમાં નીચે જમીન પર પડેલો હતો. તે બોલતો નહતો.

આથી, આસપાસના લોકોને બોલાવ્યા હતાં. તપાસ કરતાં ગણપતના શરીર પર ચાઠા જોવા મળ્યાં હતાં અને તેનું મોત નિપજ્યું હતું. આથી, ભરતના ખેતરે તથા તેના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો નહતો. આ અંગે આસપાસમાં પુછપરછ કરતાં ગણપત અને ભરતની પત્નીને આડા સંબંધો છે. તેવો વ્હેમ ભરતને હતો. આ વાતને લઇ ભરત અને ગણપત વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગણપતની હત્યા કરી હતી. આ અંગે મણીભાઈ પઢીયારની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે ભરત મોહન પઢીયાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top