SURAT

રોંગ નંબરથી શરુ થયેલા પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીકાને નંદુરબારના જંગલમાં લઈ જઈ ક્રુરતા પૂર્વક હત્યા કરી

સુરત: (Surat) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસે પકડી પાડ્યો છે. બે વર્ષ પહેલા પરિચયમાં આવેલી યુવતી સાથે બે સંતાનોના પિતાને પ્રેમ (Love) સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીએ જો લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બે સંતાનોના પિતાએ પ્રેમીકાની હત્યાનો પ્લાન ઘડી તેને ટ્રેનમાં નંદુરબારના જંગલમાં લઈ જઈ ક્રુરતા પૂર્વક હત્યા (Murder) કરી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ અજાણી મહિલાની હત્યાના કેસમાં આરોપીને ઝડપી પાડી નંદુરબાર પોલીસના હવાલે સોંપ્યો હતો.

નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તરમાં આવેલા અવાવરૂ જંગલ ઝાડીવાળી જગ્યામાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. મહિલાનું ગળું કાપી તેના શરીરના અંગોને અલગ અલગ કાપી ચહેરો ન ઓળખાય તે માટે ચહેરાની ચામડી કાઢી નાખી હતી. મહિલા સુરત શહેરની હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ આદરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે સંચા મશીનમાં નોકરી કરતા વિનયકુમાર રામજનમ રાય (ઉ.વ.38 રહે. કરંજ ગામ, પટેલ કોમ્પલેક્ષ બીજા માળે રૂમ નં – બી / ૪, તા.માંડવી, સુરત તથા મુળ રહે. જીબીનગર તરવાડા, જી.શિવાન, બિહાર) ને માંડવીના કરંજ ગામથી ઝડપી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જેની હત્યા કરી તે મહિલા સીતા સનદકુમાર ભગત (ઉ.વ.23 રહે. મુળ રહે. સીમરીયા મેનપુર થાના. મસરથ, જી.છપરા, બિહાર) ની સાથે તેને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. દશેક દિવસ પહેલા બિહારથી સુરત લઈ આવ્યો હતો. દરમિયાન સીતાએ તેની સાથે લગ્ન કરવા માટેની વાત કરી હતી. સીતાનો અગાઉ પણ એક સાથે પ્રેમ સંબંધ હતો. તેણે તેના અગાઉના પ્રેમી વિરુધ્ધમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. તેને આરોપીને પણ લગ્ન નહી કરે તો તેના વિરુધ્ધમાં પણ બળાત્કારની ફરીયાદ લખાવવાની ધમકી આપી હતી. આરોપી પોતે પરિણીત હતો અને તેને સંતાનમાં બે બાળકો છે. અને પોતે ડાઈંગ મીલમાં નોકરી કરે છે. જેથી આરોપીએ સીતા ભગતથી છુટકારો મેળવવા માટે તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ રીતે નંદુરબાર જંગલમાં લઈ જઈ ક્રુરતાપૂર્વક હત્યા કરી
સીતાને સુરત સ્ટેશનથી ટ્રેન મારફતે નંદુરબાર પહેલા એક સ્ટોપ ઉપર ઉતરી ગયો હતા. ત્યાથી રેલ્વે પાટાને લગત રોડ ઉપર ચાલતા ચાલતા નંદુરબાર તરફ ગયા હતા. અને ત્યા અવાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ ગયો હતો. ત્યા બ્લેડ તેમજ બીજા હથીયાર વડે પહેલા ગળું કાપી નાંખ્યું હતું. બાદમાં તેના હાથ કાપી નાંખી તેનો ચહેરો ન ઓળખાત તે માટે બ્લેડ વડે ચહેરાની ચામડી કાઢી નાંખી હત્યા કરી હતી.

રોંગ નંબર ડાયલ થયો અને પ્રેમ સંબંધ બંધાયો
આરોપીના મોબાઈલમાં બે વર્ષ પહેલા યુવતીનો રોંગ નંબર ડાયલ થયો હતો. ત્યારબાદ બંને જણા વાતચીત કરતા પ્રેમસંબંધ થયો હતો. યુવતીને ખબર ન હતી તે વિનયકુમાર પરિણીત છે. દરમ્યાન થોડા દિવસ પહેલા યુવતી તેના લીમોદરા ખાતેના ઘરે આવી ગઈ હતી. અને લગ્ન કરવાની જીદ કરતી હતી.

Most Popular

To Top