SURAT

VIDEO: આઠમા માળેથી દોરડા પર લટકી ફાયરના જવાને બંધ ઘરમાં ફસાયેલા સરથાણાના પરિવારને બચાવ્યો

સુરત(Surat) : શહેરના સરથાણા વિસ્તારના વ્રજચોક પાસે આવેલી હરેકૃષ્ણ રેસિડેન્સીના 7માં માળે આજે એક પરિવાર (Family) ઘરમાં જ કેદ થઈ ગયો હતો. ફલેટનો દરવાજો લોક (Lock Door) થઈ જતા પતિ-પત્ની અને તેમના બે બાળકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના (Fire Brigade) જવાનોએ ઉપરના માળેથી દોરડાથી ફ્લેટમાં જઈ ચારેય જણાને બહાર કાઢ્યા હતા.

  • સરથાણાના વ્રજચોક પાસેના હરેકૃષ્ણ રેસિડેન્સીની ઘટના
  • બપોરે પરિવાર બેડરૂમમાં સૂતો હતો ત્યારે દરવાજો લોક થઈ ગયો
  • દરવાજો તોડીને ફ્લેટમાં જવાના બદલે ફાયર બ્રિગેડે જોખમી રસ્તો અપનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર હરેકૃષ્ણ રેસિડેન્સીમાં 7 માં માળે દંપતી અને તેના બાળકો બેડરૂમમાં આરામ કરી રહ્યાં હતા ત્યારે બપોરના સમયે બેડરૂમનો દરવાજો બહારથી લોક થઈ ગયો હતો. તેનું હેન્ડલ પણ તૂટી ગયું હતું. તેઓ બેડરૂમમાંથી બહાર નીકળી શકતા નહોતા. વળી, બેડરૂમમાં સૂતા હોવાના લીધે દંપતિએ ફ્લેટના (Flat) મુખ્ય દરવાજાને પણ લોક કર્યો હતો. ખૂબ પ્રયાસ કરવા છતાં દરવાજો નહીં ખુલતા આખરે દંપતીએ ફાયર વિભાગને કોલ કર્યો હતો.

કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડીને અદર જવું પડે તેવી સ્થિતિ હતી, પરંતુ તેમ કરવા જતા નુકસાન થાય તેમ હોય ફાયરના જવાનોએ જોખમી રસ્તો અપનાવ્યો હતો અને બહાદૂરીપૂર્વક એપાર્ટમેન્ટના 8માં માળેથી દોરડું બાંધી ફાયરનો એક જવાન નીચે ઉતર્યો હતો. આઠમા માળ ઉપર જઈને ગ્રીલવાળી બારીને ખોલી સાતમા માળે બેડરૂમમાં પ્રવેશી શકાય તેમ હતું. તેથી દરવાજો તોડ્યા વિના આઠમા માળથી સાતમા માળે દોરડું બાંધી એક જવાન ઉતર્યો અને ત્યાર બાદ દંપતી (Couple) અને તેમના બંને બાળકોને સાવચેતીપૂર્વક બહાર કાઢી ઉપર 8 માળે પહોંચાડ્યા હતા.

ફાયર ઓફિસર દિનુ પટેલે કહ્યું કે, સામાન્ય સંજોગોમાં દરવાજો તોડી ફસાયેલા લોકોને બહાર કાઢવા એ રસ્તો અપનાવાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં પરિવાર બેડરૂમમાં ફસાયો હતો. બેડરૂમનો દરવાજો લોક થયો હતો. તેની ચાવી આગળના રૂમમાં પડી હતી જે ફ્લેટનો મુખ્ય દરવાજો હતો તે પણ લોક હતો. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ઉપરના માળેથી નીચે ઉતરી શકાય છે તેથી આઠમા માળેથી નીચે ઉતરી પરિવારને ઉગારી લેવાયો છે.

Most Popular

To Top