SURAT

સુરતમાં વધુ એક મોડલનો આપઘાત: ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અંજલિએ મોત વ્હાલું કર્યું

સુરતમાં વધુ એક મોડલે આપઘાત કર્યો છે. 23 વર્ષીય અંજલિ વરમોરા નામની યુવતીએ પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો છે. પ્રાથમિક વિગતો મુજબ માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં સુખપ્રીત કૌર નામની મોડલે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. 

મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે’ લખી રીલ પોસ્ટ કરી હતી જે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી હતી. જ્યારે બીજી પોસ્ટમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઉપરાંત મોડલના મોબાઇલ સહિતની તપાસ ચાલી રહી છે. જોકે હાલમાં મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે કે નહી અંગે જાણી શકાયું નથી. આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે.

સુરતના નવસારી બજારમાં કાર્તિક એપાર્ટમેન્ટમાં અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. તે મોડલ તરીકે વિવિધ કંપની સાથે કામ કરતી હતી. તેણે મોડી રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલિની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી.

Most Popular

To Top