National

ભારતમાં 2019માં વપરાયેલ 47%થી વધુ એન્ટી બાયોટિક દવા મંજૂરી વગરની

નવી દિલ્હી: લેન્સેટ રિજનલ હેલ્થ (Regional Health) દક્ષિણપૂર્વ એશિયામાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, 2019માં ભારતના ખાનગી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા 47 ટકાથી વધુ એન્ટિબાયોટિક (Antibiotic) ફોર્મ્યુલેશન્સને સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટર ( Drug Regulator) દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી.સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે એઝિથ્રોમાયસિન 500 મિગ્રા ટેબ્લેટ ભારતમાં સૌથી વધુ વપરાશમાં લેવાતી એન્ટિબાયોટિક ફોર્મ્યુલેશન 7.6 ટકા હતી, ત્યારબાદ વર્ષ દરમિયાન સેફિસિમ 200 મિલિગ્રામ ટેબ્લેટ 6.5 ટકા આવે છે.

ભારતમાં કુલ વપરાશમાં 85-90 ટકા ફાળો આપે છે
બોસ્ટન યુનિવર્સિટી, અમેરિકા અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના સંશોધકોએ ખાનગી ક્ષેત્રની એન્ટિબાયોટિકના ઉપયોગની તપાસ કરી હતી, જે ભારતમાં કુલ વપરાશમાં 85-90 ટકા ફાળો આપે છે.આશરે 5,000 ફાર્માસ્યુટિકલ કંપનીઓના ઉત્પાદનોનો સંગ્રહ કરનારા 9,000 સ્ટોકિસ્ટોની પેનલ પાસેથી આ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

દેશમાં તમામ દવાઓના વેચાણના 15-20 ટકા કરતા પણ ઓછો
આ ડેટામાં જાહેર સુવિધાઓ દ્વારા વિતરિત કરવામાં આવતી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જો કે અભ્યાસો અને રાષ્ટ્રીય આરોગ્ય ખાતાઓના અંદાજ મુજબ તે દેશમાં તમામ દવાઓના વેચાણના 15-20 ટકા કરતા પણ ઓછો છે.સંશોધકોને અગાઉના અંદાજની સરખામણીએ એન્ટિબાયોટિક્સનો વપરાશ દર ઓછો હોવાનું જણાયું હતું, પરંતુ બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સનો વપરાશ ખૂબ ઊંચો હતો, જે રોગ પેદા કરતા બેક્ટેરિયાની વિશાળ શ્રેણી સામે કામ કરે છે.તેઓએ જણાવ્યું હતું કે,” સેફાલોસ્પોરિન્સ, મેક્રોલિડ્સ અને પેનિસિલિન એ મંજૂરી વિનાના ફોર્મ્યુલેશન્સમાં ટોચના ત્રણ એન્ટિબાયોટિક વર્ગો હતા.

Most Popular

To Top