Madhya Gujarat

વેજલપુર ખાતે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કરાયો

કાલોલ: છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરાઇ રહી છે.. વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે  હિન્દૂ તથા રાષ્ટ્ર વિરોધી કૃત્યોને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ સાંખી નહિ લે. વિશ્વ હિન્દૂ પરિષદ કાશ્મીરના હિન્દૂ સાથે છે.તેમનું કાશ્મીરમાં પુનર્વસન થઈને જ રહેશે. ભારતમાં આજે વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળ દ્વારા આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાઇ છે છે અને કાલોલ પ્રખંડના વેજલપુર ખાતે પણ સોમવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.. પાકિસ્તાનના ઝંડા સળગાવી ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ નારા  લગાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top