અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇંડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા...
આણંદ | આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વરસોથી એનેથીસ્યાની પ્રેક્ટિસ કરતાં વરિષ્ઠ ડોક્ટરનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ...
હાલોલ: અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલમાં રહેતા અને હાલમાં લંડન ખાતે સ્થાયી થયેલા પરીણીતા ભોગ બનતા તેમના હાલોલ ખાતેના ઘરે...
લંડન જવા નીકળેલા ખેડા જિલ્લાના મુસાફરો ની સંખ્યામાં 11 પહોંચી ઠાસરાના ત્રણ કઠલાલ ના બે મહુધાના બે મહેમદાવાદ ના એક નડીઆદના ત્રણ...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં સવાર 241 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એપીએ ગુજરાત પોલીસ...
બોડેલી: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બોડેલીના નેન્સી પટેલનો પણ ભોગ લેવાની શંકા સેવાઈ રહી છે. બોડેલીના ગંગાનગર સોસાયટીમાં રહેતી નેન્સી પટેલના વડોદરામાં લગ્ન...
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ રેકઓફ બાદ ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો.આ ફ્લાઈટમાં લગભગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 242 પેસેન્જરો હતા....
અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ...
અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. 242 મુસાફરોને લઈને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ...
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના મુસાફરોને લઇ પરિવારજનોમાં દોડધામ મચી આણંદ. અમદાવાદ ખાતે ગુરૂવારની બપોરે એર ઇન્ડીયાના ક્રેસ થયેલા પ્લેનમાં આણંદ – ખેડાના...
અમદાવાદમાં આજે બપોરે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે. આ ક્રેશમાં 100થી વધુ પેસેન્જરના મોતની આશંકા છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ...
વડલા જેવા વડીલોની છત્રછાયામાં કેટલાયની આંતરડી ઠરતી હોય છે. ત્યારે આ ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સુરતમાં વડીલો કરી રહ્યાં છે....
આજે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં દક્ષિણ ગુજરાતના મુસાફરો પણ સવાર હોવાની ચોંકાવનારી વિગતો...
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. 100 થી વધુ મૃતદેહ મળ્યાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નજીકના રસ્તાઓ પર...
આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. એક ચર્ચા અનુસાર પ્લેન ટેક ઓફ બાદ મેઘાણીનગર ખાતે...
વલસાડમાં આજે તા.12જૂન 2025ના રોજ ગૌરવ પથ રોડ પર બેંકની બહાર રૂ. 5 લાખ રોકડા સાથેની થેલી ચોરી કરી ગયું હોવાની ઘટના...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો હતા. જેમા 232...
આજે બપોરે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ થતાંની સાથે જ ક્રેશ થઈ...
વડોદરા: મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં બોઇંગ પ્લેન ક્રેશ થયા બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને આગ બુઝાવવાના સાધનો સહિત વડોદરાની મદદ તાબડતોબ અમદાવાદ પહોંચાડવામાં...
અમદાવાદઃ અમદાવાદથી લંડન 242 પેસેન્જરને લઈને જતું એરઈન્ડિયાનું બોઈંગ પ્લેન મેઘાણીનગર પાસે ક્રેશ થયું છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી...
એસવાય બીકોમના 110 વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત ગત 24 ઓકટોબર 2024ના રોજ પરીક્ષા લેવાઈ હતી ( પ્રતિનિધિ )વડોદરા,તા.12 એમ.એસ.યુનિવર્સિટીની પાદરા બ્રાન્ચમાં ગત વર્ષે...
લંડન જતું એરઈન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં મેઘાણીનગર ગ્રાઉન્ડમાં પડ્યુંઅમદાવાદ શહેરમાં મોટો અકસ્માત થયો છે. અહીં મેઘાણીનગર...
રશિયા વોટ્સએપ, ટેલિગ્રામ જેવી નવી મેસેજિંગ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નવી મેસેજિંગ એપનું નામ Vlad’s App છે. આ...
ડભોઇ: ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની આગામી તારીખ 22/06/2025 ના રોજ ચુંટણી યોજાવાની છે.જે માટે સરપંચ પદ માટે 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા...
ED એ રાજસ્થાન અને ગુજરાતમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ મામલો રોકાણકારો સાથે રૂ. 2700 કરોડની છેતરપિંડી સાથે સંબંધિત...
અંદાજિત રૂ. બે લાખનો આશરે ૧૫૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કરાયો જપ્ત કપડવંજ: કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ...
જાહેર માર્ગ પર કચરો ફેંકવા અને ચૂંટણીમાં વોટ નહીં આપવા લોકોએ ચીમકી ઉચ્ચારી : છેલ્લા 6 દિવસથી કચરાની ગાડી નહીં આવતા લોકોને...
ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ 120 કિલોમીટર દૂર ધલાઈ જિલ્લાના ગંદચેરા બજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ...
શહેરના પાલ વિસ્તારમાં અતિ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની છે. અહીં એક પ્રેમપ્રકરણમાં યુવતીના નારાજ પરિવારજનોએ પ્રેમી યુવકની માતાનું અપહરણ કર્યું...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇંડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા જેને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈના બચવાની કોઈ આશા નથી. જોકે અમદાવાદમાં એક ચમત્કાર જોવા મળ્યો જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા. મળતી માહિતી મુજબ આ વિમાનમાં સવાર ભારતીય મુળનો એક બ્રિટિશ નાગરિક બચી ગયો છે.
વ્યક્તિ કઈ સીટ પર બેઠો હતો?
આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા બ્રિટિશ નાગરિકનો સીટ નંબર 11A હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય ભારતીય મુળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. 242 લોકોથી ભરેલી ફ્લાઇટમાં એક વ્યક્તિના બચી જવાને ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. હાલમાં રમેશ વિશ્વાસ કુમાર ઘાયલ છે જેની સારવાર ચાલી રહી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ મુસાફર વીડિયોમાં જાતે ચાલીને જતો જોવા મળે છે. રમેશ વિશ્વાસ કુમારનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે જેમાં સીટ નંબર 11A લખેલું છે.
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે પોલીસને સીટ નંબર 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવી છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવી છે અને તેની સારવાર ચાલી રહી છે.

‘જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો હતા’
40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે પોતાની વાર્તા કહી. તેમણે કહ્યું ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયો.
વિશ્વાસ પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો જઈ રહ્યો હતો. વિશ્વાસે જણાવ્યું કે તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે.
જીવંત મળી આવેલી વ્યક્તિની સારવાર ચાલી રહી છે
એએનઆઈ સાથે ફોન પર વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે પોલીસને સીટ નંબર 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવી છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મુસાફર જીવિત મળી આવ્યો છે. આ ઉપરાંત પણ વધુ મુસાફરો જીવિત હોઈ શકે છે.
જણાવી દઈએ કે ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે.