ગઈકાલે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું. આ...
જોખમી કટ ના કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા હોય છે જેને લઇને સ્થાનિકો એ ડીવાઈડર મૂકવા માંગ કરી એક તરફ પાલિકા દ્વારા...
પંજાબના ભટિંડામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ભાભીની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસે આ સનસનાટીભર્યા કેસમાં...
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમની માતા સીમા ગંભીરને હૃદયરોગનો હુમલો આવ્યો...
મિડલ ઈસ્ટ ફરી એકવાર યુદ્ધની સ્થિતિમાં મુકાયું છે. ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર કરેલા ભીષણ હુમલા બાદ...
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તા.13જૂન 2025ના રોજ સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા...
ચોરેલા મોબાઇલ વેચાણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા, મોબાઈલ અને બાઈક મળ્યું રૂ. 1.08 લાખનો મુદ્દામાલ...
DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે વડોદરા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે,...
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના ત્રણ મેડિકલ ઓફિસરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ માટે મોકલાયા* વડોદરા: અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાના વિમાન તૂટી પડવાની દુર્ઘટનામાં...
ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગુરુવારે રાત્રે ઇંગ્લેન્ડમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ 53 વર્ષના હતા. આ ચોંકાવનારા...
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશએ આખા દેશને હચમચાવી નાખ્યો છે . જેમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું...
મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયલે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાના ઉદ્દેશ્યથી ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું છે. ઇઝરાયલી વડા...
આજે શુક્રવારે થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379 ને બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના પછી વિમાનનું...
ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ટેક્ ઓફ કરતી...
ઈરાન પર ઈઝરાયેલે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે આજે સવારે ઇરાન પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઇરાનની સેના...
વડોદરા : અમદાવાદ ખાતે થયેલ દુઃખદ દુર્ઘટના માં જાન ગુમાવનાર તમામ આત્મા ને શાંતિ મળે તથા તેઓના કુટુંબીજનો ને આ અસહ્ય દુઃખ...
શહેરમાં શુક્રવારે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.શુક્રવારે સવારે પાણીગેટ, આયુર્વેદિક ત્રણ રસ્તા સહિતના કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા...
અયોગ્ય જીવનશૈલી અપનાવીને માનવીને પોતાના નિરોગી શરીર (અને મનને પણ!) રોગગ્રસ્ત બનાવવાનો કોઈ અધિકાર નથી, છતાં પણ ઘણાં લોકો બદલાયેલી નકલી જીવનશૈલીનો...
ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ ચૂક્યું છે. શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે. સરકારનો પ્રવેશોત્સવ ‘કાર્યક્રમનો હેતુ નાનાં ભૂલકાંઓ ભાર વિના ભણે, હસતાં...
માતાનું ઋણ મૃત્યુપર્યંત ચૂકવી શકાય નહીં. જન્મ દેનાર માતા અને ફળ-ફૂલ અનાજથી જીવનપોષક અને ખનિજ સમૃદ્ધિ ધરનાર ધરતી માતાના ઉપકાર નિર્વિવાદ છે....
પાલિ ગામમાં ‘મહારાજ’નામના એક વૃદ્ધ માણસ રહેતા. તેઓ ગરીબ હતા, પણ હંમેશાં ખુશ દેખાતા. લોકો એમની પરિસ્થિતિ જોઈ આશ્ચર્ય કરતા -“મહારાજ પાસે...
વિશ્વ આમ તો અનેક રીતે વહેંચાયેલું હતું પણ અઢારમી સદી પછી તે આર્થિક રીતે પણ વહેંચાઈ ગયું.કલમાંર્ક્સના વિચારો બાદ પશ્ચિમમાં નોકરશાહી અને...
મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ...
ભારતની વસ્તી વર્ષ ૨૦૨૫માં ૧.૪૬ અબજ પર પહોંચી હોવાનો અંદાજ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચાલુ રહ્યો છે...
ભારતમાં ૧૮૭૨ થી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે.ભારતને સ્વતંત્રતા મળી ત્યાર...
8 વ્યક્તિ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ કાલોલ :;કાલોલના જેતપુર ગામે ખેતરમા ગાયો ભેંસો ચરાવવા ના પાડનાર ઉપર લાકડીઓથી હુમલો કરી ધમકી...
કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદકાલોલ ::ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે રહેતા કલ્પેશકુમાર દિનેશભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓનો ભાઈ દશરથ...
વડોદરા: અમદાવાદ ખાતે બનેલી દુર્ઘટનામાં પ્લેનમાં સવાર વડોદરા શહેર અને જિલ્લાના ૨૦ જેટલા યાત્રીઓના પરિવારજનોના ડીએનએ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૦...
*અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને માહિતી મેળવી*——————– *આ દુર્ઘટનાની બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ...
એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં એક હોસ્ટેલના ડાઇનિંગ એરિયા સાથે અથડાયું ત્યારે ત્યાં હાજર ઘણા મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિમાન સરકારી બી.જે....
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગઈકાલે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયું. આ ગોઝારી દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતા 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ માર્યા ગયા. જ્યારે આ પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયું તે મેડિકલ કોલેજની હોસ્ટેલના રેસિડેન્ટ ડોક્ટરો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી મૃત્યુનો આંક 265 હોવાનું જાણવા મળ્યું છે.

એર ઈન્ડિયાનું જે પ્લેન ગુરુવારે ક્રેશ થયું તે પ્લેન સવારે લંડનથી આવ્યું હતું. આ પ્લેનમાં સુરતના એક મહિલા યાત્રી લંડનથી આવ્યા હતા. પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે જાણ્યા બાદ મહિલા યાત્રીની ઉંઘ ઉડી ગઈ છે. તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાનું પ્લેન જ ખખડધજ હતું.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 172માં બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના ઉતર્યાના દોઢ કલાકમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. તે સમાચર સાંભળીને હિનાબેનને આઘાત લાગ્યો હતો. તેઓ સુરત પહોંચે તે પહેલાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

હિનાબેને કહ્યું કે, એર ઈન્ડિયાનું પ્લેનમાં પહેલાથી જ ખામી હતી. લંડનથી ફ્લાઈટ ઉપડી ત્યારે એસી બંધ હતું. પ્લેનની અંદર ડિસ્પ્લે પણ બંધ હતા. વળી, પ્લેન જ્યારે અમદાવાદમાં લેન્ડ થયું ત્યારે તેમાંથી ખડખડ અવાજ આવતો હતો. જૂની એસટી બસમાં અવાજ આવે તેવો અવાજ તે હતો. જેના લીધે મુસાફરોને ખૂબ ડર લાગ્યો હતો.
દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટમાં ચોક્કસ કોઈ ટેક્નિકલ ખામીઓ હતી. યોગ્ય ધ્યાન આપવાની જરૂર હતી.
હિનાબેને કહ્યું કે, દુર્ઘટના અંગે સમાચાર આવતા મને ખૂબ આઘાત લાગ્યો હતો. હજુ તો હું અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે જ પહોંચી ત્યાં આ દુર્ઘટના બની હતી. મારી ઊંઘ ઉડી ગઈ છે. દ્વારકાધીશનો આભાર કે મને કંઈ થયું નથી.