અમદાવાદ: ભાજપ સરકારની (BJP) નીતિ હંમેશા અમીરો માટે રહી છે. સામાન્ય લોકોને મોંઘવારીના મારથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોષિત,...
ગાંધીનગર: આણંદ (Aanand) જિલ્લાના સુંદલપુરા ખાતે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ.ના (Bharat Bayogas Pvt. LTD) પ્લાન્ટની શુક્રવારે (Friday) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM...
ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા આઇ-ક્રિયેટના કેમ્પસમાં શુક્રવારે (Friday) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મુખ્ય સચિવ પંકજકુમાર...
ભરૂચ: શિયાળાની (Winter) ઠંડીમાં જાણે તસ્કરોને (Smugglers) મોકળું મેદાન મળી ગયું હોય તેમ સક્રિય બન્યા છે. હાલ કોરોનાને પગલે ચાલી રહેલા રાત્રિ...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની (Underground sewer scheme) કામગીરી ચાલી રહી છે. તે પૂર્ણ થવાના...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના નરોડા વિસ્તારમાં બુટલેગર દ્વારા શહેરના પોલીસકર્મીઓને (Police) જાહેર માર્ગો પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો...
નવી દિલ્હી: ભારતને (India) શુક્રવારે (Friday) બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) માટે પ્રથમ નિકાસ ઓર્ડર (Order) મળ્યો હતો, ફિલીપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ...
સુરત: (Surat) સુરતના આકાશમાં ત્રણ ફ્લાઈટ (Flight) ઉડી રહી હતી. તેમાંથી બે ફ્લાઈટ સામસામે આવી ગઈ હતી. બંને ફ્લાઈટ વચ્ચે નજીવું જ...
નવી દિલ્હી: ગૂગલ (Google) ભારતી એરટેલમાં (Indian Airtel) ૧ અબજ ડોલર જેટલું રોકાણ (Invest) કરીને ૧.૨૮ ટકા હિસ્સો ઉપાડી લેશે અને ભારતના...
વાપી : વાપીના (Vapi) ચલા વિસ્તારમાં રહેતી ફીઝીયોથેરાપી સેન્ટરમાં નોકરી (Job) કરતી પરિણીતાને તેના મુંબઇમાં (Mumbai) રહેતા પતિ તેમજ સાસુ-સસરા દહેજની માગણી...
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ (Telecom tariff) 66મો સુધારો...
ધંધૂકા: ધંધુકામાં કિશન ભરવાડ (Kishan Bharvad murder) પર ગોળીબાર (Firing) કરી હત્યાના ગુનામાં પોલીસે (Police) સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓની (Accused) ધરપકડ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે નવી દિલ્હીના (new Delhi ) કરીઅપ્પા ગ્રાઉન્ડ (Kariappa Ground) ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની...
ગાંધીનગર: વાહન (Vehicle) ચલાવતા ભારતીય નાગરિકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License ) એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે, પછી તે ટુ વ્હીલર,...
નવી દિલ્હી: બે વર્ષ કરતા વધુ સમયથી વિશ્વને પોતાના અજગર ભરડામાં લેનાર કોરોના (Corona) મહામારી શાંત પડવાનું નામ લઈ રહી નથી. પહેલી...
પહેલાના સમયમાં જમવાનું હોય કે નાસ્તો હોય તો ઘરનો જ ખાવો પડતો હતો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઘરમાં મમ્મીને કહેતા કે...
બિહાર: RRB-NTPC પરીક્ષાના પરિણામોમાં ગોટાળાને કારણે નારાજ વિદ્યાર્થી સંગઠનોની (Student unions) સાથે-સાથે રાજકીય પક્ષોએ શુક્રવારે બિહાર (Bihar) માં આંદોલન (Movement) શરૂ કર્યું...
સુરત: (Surat) વરાછા (Varacha) હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની (Rajdhani Traveles) લક્ઝરી બસમાં (Bus Fire) ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં એક યુવતીનું...
સુરત : (Surat) આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો (International Cricket Match) રમાડવાની લાલચ આપીને હિમાચલની (Himachal) મહિલા ક્રિકેટરે (Women Cricketer) સંખ્યાબંધ યુવાનો પાસેથી લાખો...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા યુવકે લોકડાઉનમાં (Lockdown) બિલ્ડિંગમાં રહેતી કિશોરીને પ્રેમજાળમાં (Lov Affair) ફસાવી લગ્નની (Merriage) લાલચ આપી બિહાર ભગાવી ગયો...
દુનિયામાં ભગવાને અલગ અલગ પ્રકારના મનુષ્ય બનાવ્યા છે. અને તે મનુષ્યના શોખ પણ અલગ-અલગ હોય છે જેમ કે કોઇને ખાવાનો શોખ કોઇને...
હેપ્પી ગો લકી સુરતીલાલાઓ ખાવા-પીવા અને હરવા-ફરવાના શોખિન તો છે જ, પરંતુ થોડા સમયથી સુરતીઓ સ્પોર્ટસ તરફ પણ રૂચિ ધરાવતા દેખાઈ રહ્યા...
ટી.વી. માધ્યમ સોની ચેનલ દ્વારા દર શનિ-રવિ રાત્રે પ્રસારિત થતો ‘ઇન્ડિયા ગોટ ટેલેન્ટ’ એક અદ્દભૂત રોમાંચક, દિલધડક, સાહસ અને આત્મવિશ્વાસથી ભરચક કાર્યક્રમ...
લગ્ન પહેલાનો ભાવ વર્તન, લગ્ન પછીના દાયકામાં કેટલાક કિસ્સાઓમાં યુ ટર્ન લે. દરમિયાન એક યા બે બાળકો પણ દંપત્તીને હોય. જીદે, અહમમાં...
કેટલીક વ્યક્તિ જન્મથી શારીરિક કે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય છે. વળી કોઈક એવી ઘટના બને કે જેને કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક...
આજકાલ ઓનલાઇન શિક્ષણ પ્રથા જોતાં શિક્ષણનુ માળખું કથળતું જતું હોય એમ લાગી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણમાં અનેક પડકારો નજરે પડે છે. આ...
યુનોની સલામતી સમિતિના કાયમી સભ્યો એવા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીને તાજેતરમાં સંયુકત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે પરમાણુ યુધ્ધ...
માંડવી : માંડવી (Mandvi) તાલુકાના એક ગામે સગીરાને લલચાવી ફોસલાવી વારંવાર બળજબરીપૂર્વક (Forcibly) શરીર સંબંધ બાંધી ગર્ભવતી (Pregnant) બનાવનારા સામે સગીરાની માતાએ...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા સુન્દરમ્ જ્વેલર્સની (Jewelers) દુકાનમાં બંદૂકની (Pistol) અણીએ લૂંટના (Robbery ) બનાવની નિષ્ફળ ઘટના સામે આવી...
સ્વામી રામદાસ દરેક પરિસ્થિતિમાં હસતા જ રહેતા.જાણે સુખ કે દુઃખ…આનંદ કે શોક તેનો તેમને સ્પર્શ જ ન થતો.એક વિદેશી મુલાકાતી તેમને મળવા...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ: ભાજપ સરકારની (BJP) નીતિ હંમેશા અમીરો માટે રહી છે. સામાન્ય લોકોને મોંઘવારીના મારથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોષિત, પીડિત અને ગરીબો સૌથી વધુ ભાજપ સરકારની નીતિઓથી પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સૌ કોઈની જવાબદારી બને છે કે, દેશની જનતાને મોંઘવારીના મારથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસીજનોએ સંગઠિત થઈ લડાઈ લડવી પડશે, તેવું શુક્રવારે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ.રઘુ શર્માએ જણાવ્યું હતું.
અમદાવાદમાં પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિના નવનિયુક્ત અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયાના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા ડૉ. રઘુ શર્માએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારની અમીરો માટેની નીતિને પરિણામે ગરીબ અને સામાન્ય વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે, ત્યારે સામાન્ય ગરીબ વર્ગને મોંઘવારીના મારમાંથી મુક્ત કરાવવા માટે દરેક કોંગ્રેસજને એકજૂટ થઇ લડાઈ લડવી પડશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ યુવાનના હાથમાં જવાબદારી સોંપી છે. કોરોના મહામારીમાં જે રીતે ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી અને અણઘડ આયોજનથી ગુજરાત અને ગુજરાતીઓએ મોટાપાયે સહન કરવુ પડ્યું. જે સરકાર સારવારના આપે, જે સરકાર સન્માન સાથે અગ્નિ સંસ્કારનો અધિકાર છીનવી લે તે સરકારને સુપ્રિમકોર્ટ ફટકાર લગાડે ત્યારે તેમને નાગરિકો યાદ આવે છે. ગુજરાતમાં શોષિત, પીડીત, ગરીબ, સામાન્ય, નાગરિકોના હક્ક અને અધિકારની લડત માટે સંગઠિત થઈને લડત આપવાનો સમય પાકી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતના ગામેગામ અને શહેરોમાં કોંગ્રેસપક્ષ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુની સાથે સાથે બહુજન મહાપુરુષોની વિચારધારાનો પ્રચાર – પ્રસાર કરી કટ્ટરવાદી આર.એસ.એસ અને ભાજપની વંચિત – શોષિત – પીડીત વિરોધી નિતિઓને ઉજાગર કરી લોકો સમક્ષ સાચી હકિકત રજુ કરીશું. મંદી – મોંઘવારી – મહામારી સહિતના આરોગ્ય સેવા, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દે કોંગ્રેસ પક્ષ આક્રમક કાર્યક્રમ થકી જનસંપર્ક કરી ભાજપ સરકારને આવનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડશે.