વડોદરા : ડભોઈ તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે નર્મદા નિગમ દ્વારા પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા...
વડોદરા : આરોપીઓ માટે જેલ કાળ કોટડી ગણાય છે. પરંતુ વડોદરા મધ્યસ્થ જેલ કાળ કોટડી તો દુરની વાત જેની પાસે પૈસા હોય...
વડોદરા: મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની રામ નવમીના પાવન દિવસે જ ઉમંગ બ્રહ્મભટ્ટના નામે અત્યંત વિવાદાસ્પદ વોટ્સ અપના મેસેજ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી....
સુરત : ગોડાદરામાં (Godadra) મામાદેવના દર્શન કરીને ઘરે જતા વેપારીને (Trader) રસ્તામાં (Road) જ આંતરીને ગોડાદરાના બે કોન્સ્ટેબલોએ રૂા.2000ની માંગ કરીને રાત્રે...
સુરત: (Surat) સિંગણપોર રોડ પર આવેલી વિજયરાજ રો-હાઉસમાં રહેતો ઉપાધ્યાય પરિવાર જનોઈના કાર્યક્રમ માટે વતન ગયો હતો. ત્યારે તસ્કરોએ (Thief) તેમના મકાનને...
સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતા વૃદ્ધની સિંગણપોરમાં ટીપી 26 માં કરોડોની જમીન (Land) આવેલી છે. આ જગ્યા પર વર્ષ 2019 થી હરજી...
પલસાણા : કડોદરાના (Kadodra) અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના (Temple) ભંડારા (Bhandara) બાબતે થયેલી બબાલ બાદ પોલીસે (Police) મુખ્ય સૂત્રધાર પોલીસની...
દેશમાં કોરોના પાછીપાની કરી રહ્યું છે ત્યાં હવે કોરોનાના કારણે ભારતમાં થયેલા મોતના આંકડાઓના વિષયે ચર્ચા પકડી છે. મળતી માહિતી મુજબ WHOએ...
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે રવિવારે (Sunday) ડબલ હેડરની પહેલી મેચમાં (Match) પંજાબ કિંગ્સે લિવયામ લિવિંગસ્ટોનની અર્ધસદીની મદદથી મુકેલા...
સુરત: (Surat) વલથાણ-પૂણા ગામ કેનાલ રોડ પર યોજાયેલા ફોગવાના અધિવેશનને સંબોધતાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વિવર્સો અને શહેરના અગ્રણીઓની સભાને...
દિલ્હી : ભારતમાં (India) બે સમુદાયો વચ્ચે અવાર નવાર સંઘર્ષની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના શનિવારે (Saturday) હનુમાન...
સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં જોઇ રહેલા અરવિંદ નામના રેતીચોરે એક મહિલા રાજકારણીના (Politician) પતિ સાથે ગોઠવણ...
સુરત : 15 દિવસમાં જ વેપારીને પેમેન્ટ (Payment) આપી દેવાનું કહીને આંગડીયા પેઢી (Angadiya firm) મારફતે 20 લાખથી વધુનો હીરાનો (Diamond) માલ...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના (Jyotiraditya Scindia) હસ્તે કેશોદ એરપોર્ટ (Airport) ખાતે...
સુરત: ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે પોકેટ કોપ મોબાઇલ ફોનની (Mobile Phone) મદદથી ચોરીની મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને બે...
સુરત : કતારગામમાં (Katargam) અંકુર વિદ્યાલયની સામે આવેલી જગ્યાને બોગસ કબજા રસીદ અને પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર (Father-Son) તેમજ...
દમણ: સંઘપ્રદેશ દમણમાં (Daman) ભરઉનાળે પીવાના પાણીની (Drinking Water) બૂમરાણ મચી જવા પામી છે. છેલ્લા પાંચ દિવસથી પીવાલાયક પાણી સ્થાનિક રહીશોના નળમાં...
અમદાવાદ: ગાંધીનગરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસ બાદ જેલમાંથી છૂટ્યા, તેમણે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું...
સુરત: ગુજરાતના (Gujarat) સુરતમાં (Surat) એક એવું રેસ્ટોરન્ટ આવેલું છે કે જ્યા જઇ તમને તમારુ બાળપણ યાદ આવી જશે. ટ્રેનના રમકડા તો...
ગાંધીનગર: પંજાબમાં (Punjab) આમ આદમી પાર્ટીએ (AAP) કરેલા વાયદા પ્રમાણે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) જાહેરાત કરી છે કે, પંજાબમાં ૧...
સુરત: આ વર્ષની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની (Film) એક KGF: ચેપ્ટર 2 જે ગુરુવાર એપ્રિલ 14 ના રોજ રિલીઝ થઈ...
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવાના છે. તેઓ 21 અને 22 એપ્રિલે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે. તેમની યાત્રા આવતા...
ભરૂચ: ભરૂચના (Bharuch) મહંમદ હુજેફા બેલીમ, ઉસામા જોગીયાત, વૈભવ પટેલ, અશફાક તલાટી, ઇરબાઝ પટેલ, સલમાન પટેલ, નિકિતાબેન અને જિગર ચોકસી સહિતના વિઝાવાંચ્છુકોએ...
નવી દિલ્હી: હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં નીકળેલી શોભાયાત્રા (Procession) પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો (Stoned) કર્યો હતો. જે બાદ...
સુરત : પુણાગામના (Puna) વિશ્વકર્મા બીઆરટીએસ (Brts) જંકશન નજીક બીઆરટીએસ બસના (Bus) ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત (Death) નીપજ્યું હતું....
સુરત: ધોરણ-12 સાયન્સ (Science) પછીના ડિગ્રી (Degree) સહિતના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં એડમિશન માટેની ગુજકેટ (Gujcet) આગામી ૧૮મી એપ્રિલના રોજ લેવામાં આવશે. સુરત (Surat)...
સુરત: (Surat) પાસોદરા ચોકડી પાસે 200 તેલના ડબ્બા (Cans of Oil) લઇને આવતા ડ્રાઇવરને બે એક્ટીવા ચાલકે ઊભો રખાવ્યો હતો. ટેમ્પોથી ગાયનું...
દિલ્હી: (Delhi) દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાનજીની જન્મજયંતિ (Hanuman Jayanti) પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો....
મુંબઈઃ લોકેશ રાહુલે (K L Rahul) ફરી એકવાર કરી બતાવ્યુ કે તેને ક્લાસિકલ રાહુલ કેમ કહેવામાં આવે છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં...
હથોડા: (Hathoda) કુંવારદા, સિયાલજ, મોટી નરોલી, વાલેસા થઈને પસાર થઇ રહેલા એક્સપ્રેસ હાઇવેનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ...
ફાયર બ્રિગેડ દ્વારા અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ
એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ પકડાયો, નંદેસરી પોલીસ ઊંઘતી ઝડપાઈ
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો આવતીકાલે ચોથો દીક્ષાંત સમારોહ યોજાશે
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ – સંઘના ઘૂંટણીએ પડી ગયા
રાજ્યમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી અંગે નવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર નથી
રાજ્યમાં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં
ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની સમિતિ રચાઈ, તમામ સરકારી ભરતી માટે એકસરખા નિયમો ઘડવા,એકરૂપતા અને ઝડપ લાવવાનો દ્રઢ પ્રયાસ
ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ , ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યુ
અમદાવાદમાં તમાકુ ઉત્પાદક ગ્રુપ પર ઈડીના દરોડા , ૧.૦૧ કરોડ રોકડ, ૧.૬ કિલો સોનાના બિસ્કિટ સહિત મિલકત પણ જપ્ત થઈ
મહાત્મા મંદિર ખાતે ૧ માર્ચે ‘સેમિકનેક્ટ ૨૦૨૬’ – ગુજરાતને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં દૃઢ પ્રયાસ , પીએમ મોદી ગુજરાત આવી શકે છે
આદિજાતિ બજેટમાંથી 50% રકમ વપરાઈ જ નહીં – નર્મદા જિલ્લાના કરોડો રૂપિયા એનજીઓના હિતમાં વપરાયા
‘વોકલ ફોર લોકલ’ને વેગ – ૧૫ માર્ચ સુધી રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા
ગુજરાત કિનારે ઉપરી ચક્રવાતી પરિસ્થિતિ યથાવત – રાજ્યમાં વાતાવરણ અસ્થિર, 24 કાલકમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, સુરત – રાજકોટમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચ્યો
ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ, જેતપુરપાવી સહિત જિલ્લામાં ઉત્સાહનો માહોલ
ભારે વાહન પ્રતિબંધથી ખેડૂતો સંકટમાં, માલસર–અસા નર્મદા બ્રિજ મુદ્દે તંત્ર સામે ખેડૂતોએ ઉઠાવ્યા સવાલ
પીસીબીની મોટી કાર્યવાહી, એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.34.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
બોર્ડ પરીક્ષાનો શંખનાદ,૭૦ સ્ક્વોડ ટીમો અને PATA એપથી કડક દેખરેખ
કોમનવેલ્થ યજમાનીથી ગુજરાત બનશે સ્પોર્ટસ કેપિટલ
અમદાવાદ–ગાંધીનગરમાં 32 હોટલોને દારૂ વેચાણ પરવાનો
સૌરાષ્ટ્ર–કચ્છ ઝોનમાં વાયબ્રન્ટ ગુજરાત 2025 અંતર્ગત 1527.56 કરોડના એમઓયુ
રાજ્યમાં ૨૦૨૫માં ૨૧,૫૮૮ કિલોથી વધુ ગૌમાંસ ઝડપાયું
રાજ્યનો 67હજાર કરોડ વેરો વસૂલવાનો બાકી
સુરતમાં ગુનાખોરીનો વિકાસ
મોદી જૅકેટમાં નેતન્યાહૂ! PM મોદી સાથેના ડિનર પહેલા ઇઝરાયલી PMનું ખાસ સરપ્રાઇઝ
બોલતાં ચર્ચાપત્રો
અનોખી પ્રાર્થનાસભા
હોળી-ધૂળેટી પર્વમાં કેસુડાના ફૂલ!
બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : પરીક્ષા કેન્દ્ર પર પરિક્ષાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત
સન્માનપત્રમાં ભાષાદોષ? કેમ કરીને ચાલે દોસ્ત?
દિલ્હીમાં હૃદય કંપાવી દેનાર હત્યાકાંડ: પુત્રની ઇચ્છામાં પતિએ ગર્ભવતી પત્ની અને 3 દીકરીઓની કરી હત્યા
વડોદરા : ડભોઈ તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે નર્મદા નિગમ દ્વારા પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા હતા. જ્યારે ખેડૂતોના પ્રશ્ને નિવેડો લાવવા હરહમેશ તત્પર રહેતા ડભોઈના ધારાસભ્યએ ખેડૂતોના હિતમાં મુખ્ય મંત્રીને પત્ર લખી ધારદાર રજુઆત કરી હતી. જેના કારણે સરકારે ખેડૂતો પ્રત્યે હકારાત્મક વલણ દાખવી નડા વસાહત સુધી નર્મદા કેનાલ માંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં પોતાના પાકનું થતું નુકશાન બચી જતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકામાં 20 જેટલી નર્મદા વસાહતો સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જેમાં આદિવાસીઓ રહે છે. આ વસાહતો પૈકી 4 વસાહતોના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને તેઓની ખેતી નર્મદા કેનાલના સિંચાઈ પાણી પર નિર્ભર છે. ત્યારે ગત તા.31 મી માર્ચથી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બંધ કરી દીધું હતું. અને ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. ખેડૂતોમાં પોતાના વાવેલ ઉનાળુ પાક પાણી નહીં મળે તો ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી.
આ બાબતે ખડુતોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જે બાબતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાસે રજુઆત પહોંચતા તેઓએ પણ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવને પત્ર લખી સરકાર જળક્રાંતિ કૃષિક્રાંતિનું અભિયાન ચલાવતી હોય અને એમાંય ખેડૂતોને ખાસ કરીને આદિવાસી પ્રજા સાથ સહકાર આપતી હોય ત્યારે ખેડૂતોને અન્યાય કરવો તે કેટલા અંશે યોગ્ય છે. નર્મદા કેનાલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાણી મળી રહે અને તેમના તમામ ઋતુઓના પાક લઈ શકે.
તે ઉપરાંત જે વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવું તે મુખ્ય બે પ્રાથમિકતા હતી. ઉદ્યોગોને પાણી આપવું જોઈએ. પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે બાબતે ખેડૂતો માટે આંદોલનનો માર્ગ અપનાવવા પ્રેરે તેવો છે.જો પાણી નહીં મળે તો ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થશે.જે ખેડૂતોના હિતમાં નહીં હોય અને સરકારના જળક્રાંતિ કૃષિ ક્રાંતિ અભિયાન ને પણ ધક્કો વાગશે. ડભોઇ તાલુકાના ખેડૂતોને પાણી ન મળવાના કારણે ખેતીનું તો નુકસાન વેઠી રહ્યા છે. પરંતુ તેમના ઢોરઢાંખર પાણી વિના તરસી રહ્યા છે.એટલે પાણી વગર આ ખેડૂતોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે.
સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની જે વાતો કરે છે.તેના કરતાં વિરુદ્ધ ચિત્ર ડભોઈ તાલુકામાં છે. તેથી જ ખેડૂતોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.અને આગળ પણ જતાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવું લાગી રહ્યું છે. જેથી કરીને નર્મદા નિગમનો જે નિર્ણય છે. તેને રદ કરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપે તેવી માગણી કરી હતી. જે બાબતને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી. અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ખેડૂતો પ્રશ્ને કરેલી રજુઆતને પગલે હકારાત્મક નિર્ણય લીધો હતો.નર્મદા નિગમને પાણી છોડવા આદેશ કરતા નડા વસાહત સુધી પાણી છોડવામાં આવ્યું હતું.જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.