Charchapatra

મહાનગરોની અવગતિના નિમિત્તો

ગંદા પાણીથી ખદબદતા તળાવોના લીધે આસપાસના વિસ્તારમાં ફેલાતો રોગચાળો, હવાઇ અડ્ડા રેલવે સ્ટેશન સ્ટેિડયમ નજીક કરોડો રૂપિયાની કિંમતીની સરકારી જીનોને ખાનગી માલિકીની ઠરાવી દેતા ભ્રષ્ટાચારી સરકારી અમલદારો, લાઇટિંગ અને ટેલીફોનના લાખો રૂપિયાના કેબલોની ચોરી કરતી ટોળકીઓ, ગેરકાનૂની – અસામાજિક – શંકાસ્પદ પ્રવૃત્તિ માટે રાત્રે ડ્રોન ઉડાડતા માલેતુજારો, નદીની આજુબાજુમાં કુદરતી જીવસૃષ્ટિના નાશ, સતત નીચે જઇ રહેલા ભૂગર્ભ જળ તથા જમીનમાં રીચાર્જમાં અટકાવ, ટાઇફોઇડ – કોલેરા – કમળો – ઝાડાઉલટી – લેરિયા – ડેન્ગ્યુ – ચિકનગુનિયા આદિ રોગચાળાની પ્રવર્તતી પરિસ્થિતિ વચ્ચે દોષારોપણમાં વ્યસ્ત અધિકારીઓ અને નગરસેવકો, વિદેશી નાગરિકોને લોન આપવાને બહાને છેતરપિંડીના વધતા બનાવો આદિ મહાનગરીય કલંકો છે.
અમદાવાદ         – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top