Charchapatra

એનાથી કાંઈ નહિ વળે

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોને સરકારી નોકરીથી અને ભારતના પાસપોર્ટથી વંચિત રાખવાનો નિર્ણય લેવાયો. સારી વાત છે. હકીકત એ છે કે આ પથ્થરબાજો દેશદ્રોહી અને આતંકવાદીઓ છે. તેઓ પાસપોર્ટ કે વિઝાના ઓશિયાળા નથી. તેઓ અનેક વાર સરહદ ઓળંગીને આવે છે અને જાય છે. તેમની સેવામાં પાકિસ્તાનના પાસપોર્ટ તૈયાર હોય છે કારણ કે આપણા દેશદ્રોહીઓને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન હરહંમેશ તૈયાર જ હોય છે  એ એક જાણીતી હકીકત છે.

માનવ અધિકારવાદીઓને પેટમાં દુખે એવી વાત છે, પણ  વાસ્તવિકતા એ છે બધા દેશો ભેગા મળીને આતંકવાદીઓ માટે કાળાપાણી જેવી કોઈ સજા વિચારે અથવા ‌ કમ સે કમ આતંકવાદીઓ જે ધર્મના પોતે અનુયાયી હોવાનો દાવો કરે છે એના કાયદાઓ પણ દેશદ્રોહીઓને પથરા મારવાની સજા ફરમાવે છે! એ ન્યાય એ લોકો માટે કેમ નહિ!? દુનિયાનો કયો દેશ પોતાની સાથે દ્રોહ કરનારને સજા નહીં કરવા માંગતો હોય?! કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર બહુમતીમાં છે એ આતંકવાદીઓને કડક સજા કરવાના કાયદા ઝડપથી પસાર કરશે તો તે દેશની સેવા કરી હશે. સુરત       – સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top