Madhya Gujarat

પ્રાકૃતિક ખેતીની તાલીમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ શરૂ

નડિયાદ: આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન કચેરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર મારફતે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તેમની ખેત પેદાશનું વેચાણ કરવા યોગ્ય બજાર મળી રહે તે માટે ઉમદા પ્રયત્નોના ભાગરૂપે 1 મે, 2023ના રોજ ખેડા જિલ્લાના વડતાલ, ઠાસરા, નેનપુર, નિરમાલી, છીપડી, ખેડા, મહુધા, લીંબાસી, ટીમ્બાનાંમુવાડા અને વસો ખાતે કુલ 10 સ્થળોએ પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટરબેઝ તાલીમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ વેચાણના વિશેષ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએ લોકોએ ઉત્સાહપુર્વક પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેતપેદાશોની ખરીદી કરી હતી.

સમગ્ર જીલ્લામાં કુલ-૧૨૪ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદીત અનાજ અને શાકભાજીનો અંદાજીત 1680 કી.ગ્રા. જથ્થો કુલ કિંમત રૂ. 88000નું વેચાણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તેમજ જે ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી કરી રહેલ છે તેઓની ખેત પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં 10-10 ગામોના ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક તાલુકાઓમાં એક સ્થળે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણની કામગીરી ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી.

Most Popular

To Top