Vadodara

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો શહેરમાં ત્રણ સ્થળે જનસંપર્ક

વડોદરા: વડોદરા નરેન્દ્ર મોદીનના નેતૃત્વમાં સરકારના 9 વર્ષના સુશાસન કાળ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર જીલ્લાઓમાં જનસંપર્ક અભિયાન શરૂ કરી જન જન સુધી નરેન્દ્ર મોદીની સરકારે કરેલા લોકપયોગી વિવિધ યોજનાઓને પહોંચાડવાનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે તમામ શહેરોના વોર્ડ વિસ્તારોમાં તથા સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેરના વાસણારોડ પેટ્રોલપંપ નજીકના દેવનગર ખાતે જનસંપર્ક કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા.

જ્યાં તેઓનું મેયર નિલેશ રાઠોડ તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું સાથે જ વોર્ડ નં.10ના પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મહામંત્રી સુનીલ સોલંકી પણ તેઓ સાથે આવી પહોંચ્યા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પગપાળા દેવનગર ખાતે ઘરે ઘરે જ ઇ નરેન્દ્ર મોદીના સુશાસન કાળના નવ વર્ષ દરમિયાન સરકારે યુવાઓ, શોષિતો, વંચિતો, મહિલાઓ, વિધ્યાર્થીઓ, વૃધ્ધો માટે જે વિવિધ સરકારી યોજનાઓ થકી તમામ વર્ગના લોકોની ચિંતા કરી અને લાભો આપ્યા છે તે અંગેની લોકોને જાણકારી મળી રહે તે માટેની પત્રિકાઓ સાથે લોકોને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે તેમણે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ આ પ્રસંગે પત્રકારો દ્વારા તાજેતરમાં શહેરમાં વિધર્મીઓ દ્વારા જે રીતે હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે હોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,શહેરમાં તાજેતરમાં જે વિધર્મી દ્વારા હોટલમાં હિન્દુના આઇકાર્ડ થકી દૂરપયોગ કરવામાં આવ્યો હતો તે કેસમાં વડોદરા પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે તે જ રીતે સુરતમાં તમામ હોટલોમાં રજીસ્ટ્રેશન ચેકીંગ સહિતની તપાસ કામગીરી પોલીસે શરૂ કરી છે અને જો કોઇના ધ્યાનમાં આવી કોઇ બાબત આવે તો તરતજ પોલીસને જાણ કરે સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top