SURAT

પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો આપઘાત, સુરતમાં બની આઘાતજનક ઘટના

સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંની ઓમ સાંઈ જલારામ નગરમાંથી પોલીસને બે લાશો મળી છે. આ મૃતદેહો પ્રેમીયુગલ હોવાનું અને પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનાની ઓમ સાંઈ જલારામ નગરમાં યુવક-યુવતીની શંકાસ્પદ મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. યુવતીની હત્યા કરી યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા લોકટોળું ભેંગુ થઈ ગયું હતું.

પ્રેમમાં હત્યારો બનેલો વિજય નારાયણ ગોહિલ માત્ર 28 વર્ષનો હતો. તેમજ માતા-પિતાનો એક નો એક દીકરો હતો. વિજય દોરા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દીકરાના આપઘાતને લઈ પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top