કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ :
કોઈપણ પ્રકારના સુધારા બાકી હોય અને પ્રિન્સિપાલ એપૃઅલ આપવાનું બાકી હોય તે કામગીરી 26 ડિસેમ્બર સુધી કરવાની રહેશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષ 2026 માં લેવાનારી ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આગામી 24 તારીખ સુધી મુદત વધારવામાં આવી છે. જ્યારે આવેદનપત્રમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનો બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર રાત્રિના 12 કલાક સુધી અને શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી 30 ડિસેમ્બર સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 10 -12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી માર્ચ- 2026 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22 ડિસેમ્બર હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટેની આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાની તથા પ્રિન્સીપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ તારીખ 22 ડિસેમ્બર રહેશે. જ્યારે, ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 2 દિવસ માટે લંબાવીને તારીખ 24 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બરના રોજ રાત્રીના 12 કલાક સુધીની રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર સુધી ભરી શકાશે.