મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.