Latest News

More Posts

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ઈરાન મુદ્દે કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું છે કે ઈરાન સાથે અંતિમ કરાર ન થાય ત્યાં સુધી હોર્મુઝ જળસંધિ પર લગાવવામાં આવેલી અમેરિકાની નૌકાદળ નાકાબંધી હટાવવામાં નહીં આવે. એટલુજ નહી પાકિસ્તાનના આર્મી ચીફ Asim Munir સાથે થયેલી વાતચીત દરમિયાન આ મુદ્દો ખાસ ચર્ચામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે તેમની સલાહ સ્વીકારવાની જગ્યાએ પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, જનરલ આસિમ મુનીરે ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હોર્મુઝ જળસંધિ પર ચાલી રહેલી નાકાબંધી ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. પાકિસ્તાન મધ્યસ્થ તરીકે ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચા આગળ વધે તે માટે પ્રયાસ કરી રહ્યું છે. છતાં ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ઈરાન સાથે વ્યાપક કરાર થયા વગર નાકાબંધી હટાવવાની કોઈ શક્યતા નથી.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, હાલની નૌકાદળ કાર્યવાહી ઈરાન પર દબાણ બનાવવા માટે જરૂરી છે અને આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ઈરાનને પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રિય સુરક્ષા મુદ્દાઓ પર સમજૂતી માટે તૈયાર કરાવવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકા કોઈ દબાણ હેઠળ નથી અને યોગ્ય સમય આવે ત્યારે જ કરાર થશે.હોર્મુઝ જળસંધિ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ વેપાર માર્ગ માનવામાં આવે છે, કારણ કે વિશ્વના લગભગ 20 ટકા જેટલા તેલનો પરિવહન આ જળમાર્ગ પરથી થાય છે. અમેરિકાની નાકાબંધીને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી તાત્કાલિક યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થવા આવી રહી છે અને બંને દેશો વચ્ચે બી વાદાસ્પદ મુદ્દો બની રહ્યો છે. વિશ્વ રાજનીતિના નિષ્ણાતો માનતા છે કે જો હોર્મુઝ જળસંધિ પરનો તણાવ લાંબો સમય ચાલુ રહેશે તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક તેલના ભાવ, સમુદ્રી વેપાર અને મધ્યપૂર્વની સુરક્ષા પર પડી શકે છે. હાલ સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની રહી છે અને આગામી દિવસોમાં અમેરિકા–ઈરાન સંબંધો કઈ દિશામાં આગળ વધે છે તે પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

To Top