યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) સિંધુદુર્ગમાં ચાર દિવસ પહેલા તા. 26 ઓગષ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) 35 ફુટ ઉંચી પ્રતિમા પડી ગઈ હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજે શુક્રવારે પોતાના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાલઘરમાં આ ઘટના માટે માફી માંગી હતી.
દેશના વડાપ્રધાન મોદી આજે તા. 30 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના પ્રવાસે હતા. ત્યારે પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે પાલઘરમાં એક સભાને સંબોધતા ચાર દિવસ પહેલા જે શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થઇ હતી, તે અંગે માફી માંગી હતી. આ પ્રતિમાનું લોકાર્પણ ગયા વર્ષે 4 ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું. ત્યારે તેમના દ્વારા લોકાર્પિત પ્રતિમાના પડી જવા માટે માફી માંગતા પીએમ મોદીએ કહ્યું હતું કે શિવાજી અમારા માટે આરાધ્ય છે. તેમજ હું સિંધુદુર્ગમાં બનેલી ઘટના અંગે તેમની માફી માંગુ છું.
વડાપ્રધાન મોદીએ માંગી માફી
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતુ કે, “અમારા મૂલ્યો અલગ છે. અમે એવા લોકો નથી કે જે દરરોજ ભારત માતાના મહાન સપૂત વીર સાવરકર વિશે ખરાબ વાતો બોલે. અપમાન કરતા રહે. તે લોકો (વિપક્ષ) દેશભક્તોની ભાવનાઓને કચડી નાંખે છે. વીર સાવરકરને અપમાનિત કર્યા પછી પણ તેઓ માફી માંગવા તૈયાર નથી. તેઓને કોઇ પસ્તાવો નથી. મહારાષ્ટ્રના લોકો હવે તેમના મૂલ્યો જાણી ગયા છે.’’
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટવા બાબતે માફી માંગતા પીએમ મોદીએ કહ્યુ હતું કે, ‘મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નથી. એક રાજા નથી. મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય છે. સિંધુદુર્ગમાં તાજેતરમાં જે કંઈ પણ થયું, આ ઘટના બદલ હું મારા આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નતમસ્તક થઇને માફી માંગું છું.’
સભામાં પીએમ મોદીએ વધુમાં કહ્યું હતુ કે, “એક સમય હતો કે જ્યારે ભારતની ગણતરી વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં થતી હતી. ભારતની આ સમૃદ્ધિનો મુખ્ય આધાર હતો – ભારતની દરિયાઈ શક્તિ. દેશની આ શક્તિને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણી શકે? છત્રપતિ શિવાજી મહારાજે દરિયાઈ વેપાર અને દરિયાઈ શક્તિને નવી ઊંચાઈ આપી હતી, અને દેશની પ્રગતિ માટે નવી નીતિઓ બનાવી અને નિર્ણયો લીધા હતા.”
મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા – PM મોદી
મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વડવાણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જે દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.’ આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. તેમજ PM મોદીએ લગભગ રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.