Top News Main

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરુ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રૂને બચાવવા માટે સુરક્ષા દળોની સર્ચ પાર્ટીઓ વિસ્તારમાં પહોંચી રહી છે. મળતી વિગતો પ્રમાણે, આ દુર્ઘટના ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થઈ છે,જ્યાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે.પગપાળા અને હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ સુરક્ષિત છે.

ગત 26 ફેબ્રુઆરીના રોજ સેનાનું હેલિકોપ્ટર થયું હતું ક્રેશ
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 26 ફેબ્રુઆરીના રોજ તેલંગણાના નાલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલોટના મોત થયા હતા.હેલિકોપ્ટર હવામાં બેકાબૂ બનીને મેદાનમાં તૂટી પડ્યું હતું.ઘટના સમયે વિમાનમાં એક પાઈલટ અને એક ટ્રેઈની પાઈલટ સવાર હતા.તેલંગાણા પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં એક પાયલોટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

ચિત્તા હેલિકોપ્ટર બીમાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અધિકારીને બચાવવા માટે જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરના પાઇલટ અને કો-પાઇલટની હાલત હાલમાં ખાનગી રાખવામાં આવી છે, સૂત્રોએ જણાવ્યું હતું, જો કે, તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવાનું માનવામાં આવે છે. ગુરેઝ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)એ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

ચિત્તા એ સિંગલ-એન્જિન હેલિકોપ્ટર છે જેમાં મૂવિંગ મેપ ડિસ્પ્લે, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી મુખ્ય વિશેષતાઓ નથી. તેમાં ઓટોપાયલોટ સિસ્ટમનો પણ અભાવ છે, જે ખરાબ હવામાનમાં પાઈલટ ભ્રમિત થવાના કિસ્સામાં વિનાશક બની શકે છે. આર્મી પાસે 200 ચિતા હેલિકોપ્ટરનો કાફલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, 30 થી વધુ ક્રેશ થયા છે, જેમાં 40 થી વધુ અધિકારીઓ શહીદ થઇ ગયા છે.

Most Popular

To Top