Vadodara

બાળકીને કચડી નાખનાર ડ્રાઈવરને ટોળાએ સળગતી વાનમાં નાંખી દીધો

દાહોદ : દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશની હદમાં આવેલા અલીરાજપુર જિલ્લાના છોટી પોલ ગામે હેવાનિયતની તમામ હદો પાર કરતો એક બનાવ સામે આવ્યો છે.જેમાં અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના જામલી ગામનો મગનભાઈ માનસિંગભાઈ પોતાના કબજા હેઠળની MP-09-GF-2361 નંબરની ગાડીમાં શ્રામિકોને કઠીવાડા મુકવા ગયો હતો.જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચંદ્રશેખર આઝાદ નગર તાલુકાના છોટી પોલ ગામે 8 વર્ષીય કાંજીબેન રાકેશભાઈ નામક બાળકી રમતા રમતા રોડ પર આવી જતા મગનભાઈ ની પીકપ ગાડી ની અડફેટે આવતા કાંજીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ બનાવથી ઉશકેરાયેલા સ્થાનિક લોકો તેમજ બાળકીના સબંધીઓએ પીકઅપ ગાડીના ચાલક મગનસીંગ ભાઈને ઘેરી લઇ ઢોર માર મારવાનો શરૂ કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ જ્વલનશીલ પદાર્થ પીકઅપ પર છાટી પીકઅપ ગાડીને આગ લગાડી દીધી હતી. તે જ સમયે ચાલાકને માર મારતા ઈસમો પૈકી ગાડીની સાથે ચાલકને પણ બાળી નાખો તેવા ઉદ્દગારો કરતા ગુસ્સામાં આવેલા લોકોએ ચાલકને સળગતી પીકઅપ વાનમાં ફેંકી દીધો હતો. ઘટનાની સાથે સાથે જ આવી પડેલા લોક ટોળાં પૈકી કેટલાક લોકોએ સળગતી પીકઅપ વાનને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ બચાવો બચાવોની બુમરાણો વચ્ચે પીકઅપનો ચાલક પણ ભડ ભડ સળગવા લાગ્યો હતો. અને ભાગાદોડી દરમિયાન સળગાતો ચાલક જમીન ઉપર પટકાયો હતો.

આ સમગ્ર બનાવ બાદ બચાવ કામગીરી કરતા કેટલાક ગ્રામીણોએ તેની ઉપર માટી નાખી બચાવી લીધો હતો.જોકે ઉશ્કેરાયેલા કેટલાક ઈસમો બચાવ કામ કરતા ગામ લોકોની સામે થઈ ગયા હતા.આ દરમિયાન ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી. અને સમગ્ર મામલાને વધુ ઉગ્ર બનતો અટકાવી ઇજાગ્રસ્ત બાળકને સારવારઅર્થે ચંદ્રશેખર આઝાદ નગરના સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.જ્યા ઈજાગ્રસ્તની હાલાત ગંભીર જણાતા તેને દાહોદ ખાતે રીફર કરાયા હતા.દાહોદની ખાનગી હોસ્પીટલ ખાતે લાવયેલા પીકઅપ ચાલકને પ્રાથમિક સારવાર આપી તેની હાલત નાજુક જણાતાં ઉચ્ચ  સારવાર અર્થે વડોદરા ખાતે રવામાં કરાયો હતો. પરંતુ કમનસીબે વડોદરા જતા રસ્તામાં જ ચાલક મગનસીંગનું કરુણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવના પગલે સમગ્ર સરહદી વિસ્તારોમાં સ્તબ્ધતા છવાઈ થવા પામી છે. જયારે પ્રવર્તમાન સંજોગોમાં લોકોની સહન શક્તિ ઘટવા પામી છે. એટલું જ નહિ સામાન્ય બાબતોમાં પણ કાયદો હાથમા લઇ આવા બનતા મોબ લિંચિંગ ભર્યા બનાવમાં આ વિસ્તારમાં ઘટાડો આવે તે માટે સમયાંતરે  મળતી બોર્ડર મિટિંગોમાં ઠોસ પગલાં લેવાય તેવી લાગણી તેમજ માંગણી પણ ઉઠવા પામી છે.

મરણજનાર ચાલક તેમજ બાળકીના ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: રેન્જ આઇ.જી તેમજ જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા

સનસનાટીભર્યા ઉપરોક્ત બનાવના પગલે ચોકી ઉઠેલી પોલીસે પીકઅપ ગાડીના ચાલક મગનસિંહ માનસિંહના ગામમાં અને પીકઅપ ગાડીની અડફેટે મોતને ભેટનાર બાળકીના ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જોકે આ સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લઇ રેન્જ આઇ.જી ચંદ્રશેખર સોલંકી તેમજ અલીરાજપુર જિલ્લા પોલીસ વડા મનોજ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જોકેઆ બનાવમાં પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલ ઈસમોની ઓળખ પ્રક્રિયા પણ શરૂ કરવામાં અવી છે.જયારે મરણ જનાર ઈકો ગાડીના ચાલક મગનસિંહ ભાઈ માનસિંગભાઈ નું પીએમ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top