Gujarat

રાજ્યમાં કોરોનાના નવા કેસ 500ની અંદર : મૃત્યુઆંક ઘટીને 9 થયો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481 થઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ ઘટીને 9 થયો છે.અત્યાર સુધીમાં કુલ 7,97,734 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 11,657 છે, વેન્ટિલેટર ઉપર 296 અને 11,361 દર્દીઓ સ્ટેબલ છે.

શુક્રવારે અમદાવાદ મનપામાં 2, સુરત મનપા, મહિસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, તાપી અને ભાવનગર મનપામાં 1-1- કુલ 09 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 9,985 થયો છે.શુક્રવારે અમદાવાદ મનપામાં 69, સુરત મનપામાં 62, વડોદરા મનપામાં 51, રાજકોટ મનપામાં 24, ભાવનગર મનપામાં 02, ગાંધીનગર મનપામાં 08, જામનગર મનપામાં 15 અને જૂનાગઢ મનપામાં 09, નવસારીમાં 10 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 23, વડોદરા ગ્રામ્યમાં 37, જૂનાગઢ ગ્રામ્યમાં 09, ભરૂચમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 10, વલસાડમાં 08, અમરેલીમાં 12, આણંદમાં 11 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,505 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 97.23 ટકા થયો છે.

વધુ 2,86,459 વ્યક્તિઓને રસી આપવામાં આવી

18થી 45 વર્ષ સુધીના 1,94,310 વ્યક્તિઓે પ્રથમ ડોઝ, 19,162ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 39,337 વ્યક્તિને પ્રથમ ડોઝ, 28,135ને બીજો ડોઝ, જ્યારે 1,666 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ અને 3,849ને બીજો ડોઝ મળી કુલ 2,86,459 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top