Gujarat

ભાવનગરની ‘સર ટી હૉસ્પિટલ’ ખાતે પીએસએ ઑક્સિજન પ્લાન્ટ્સનું વર્ચ્યુઅલ ઉદઘાટન

ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું. 1000 એલપીએમ ક્ષમતાના એક એવા બે ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સાથે કૉપર પાઇપિંગ નેટવર્ક અને અગ્નિ શમન પ્રણાલિ તેમજ ઑટોમેટિક ઑક્સિજન સોર્સ ચૅન્જઓવર સિસ્ટમ જેવી સંકળાયેલી સુવિધાઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘આ સુવિધા ભાવનગરના લોકોને સમર્પિત કરવામાં આવે છે. આવી અન્ય સુવિધાઓનું તાજેતરમાં ઉદઘાટન થયું એનાથી દેશને કટોકટીના સમયમાં મદદ મળશે.’માંડવિયાએ કહ્યું હતું કે દેશને કોવિડથી સલામત રાખવા માટે દેશ ‘સમગ્ર સમાજ’ અભિગમ દ્વારા લોક-ભાગીદારીની ભાવનાથી કાર્ય કરી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પહેલી કોવિડ-19 લહેરને પરાસ્ત કરવામાં લૉકડાઉન દરમિયાન કોવિડ અનુરૂપ વર્તણૂક અને સામાજિક અંતરના નિયમો જાળવવામાં લોકોએ આપેલા સહકારની નોંધ લીધી હતી. ‘આ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રના સંપૂર્ણ સહકારનો પુરાવો જ છે કે આપણે આપણી ઑક્સિજન ક્ષમતાને માત્ર 4000 મેટ્રિક ટન જ હતી એને ટૂંકા ગાળાના સમયમાં વધારીને 12,000 મેટ્રિક ટન કરી દીધી’, એમ તેમણે કહ્યું હતું.

માંડવિયાએ જણાવ્યું હતું કે ‘બીજી લહેરમાંથી આપણે ઑક્સિજન પુરવઠો, હૉસ્પિટલ બૅડ્સ અને દવાઓ જેવું ઘણું બધું શીખ્યા છીએ. આપણે હવે દરેક જિલ્લામાં કટોકટીમાં જરૂરી ક્રિટિકલ કેર મેડિકલની આવશ્યકતાઓ ખરીદવા માટે પૂરતા ફંડ્સને સુનિશ્ચિત કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં કોવિડ-19ના તાકીદના વળતા પગલાં માટે રૂ. 23000 કરોડના પૅકેજને મંજૂરી આપી છે.

તમામ હૉસ્પિટલોમાં બાળકોને સૌથી અસરકારક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા આપણે પીડિયાટ્રિક કેર માટે પૂરતી જોગવાઇઓ કરી છે. રાજ્ય અને કેન્દ્રીય સ્તરે આપણે બફર સ્ટૉકની સિસ્ટમ પણ વિક્સાવી રહ્યા છીએ જે કોઇ પણ આરોગ્ય કટોકટીના કિસ્સામાં ઉપયોગમાં લઈ શકાય. આ રીતે, આ કોવિડ પૅકેજ મારફત એક સર્વગ્રાહી યોજના અને ક્ષમતા નિર્માણ આગામી છ મહિનામાં હાથ ધરાઇ રહ્યું છે.’ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સર તખતસિંહજી હૉસ્પિટલ, ભાવનગર ખાતે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે એની કૉર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ રૂ. 2.53 કરોડના ખર્ચે બે મેડિકલ ઑક્સિજન પીએસએ યુનિટ્સ સ્થાપિત કર્યા છે

Most Popular

To Top