National

નૈનિતાલ: કાર્યક્રમ બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખરની તબિયત બગડી, સાથી સાંસદ ડો. મહેન્દ્રને ભેટીને રડી પડ્યા

ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર નૈનિતાલમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બીમાર પડી ગયા. ડોક્ટરોની એક ટીમે તેમને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ તેઓ રાજ્યપાલ ગુરમીત સિંહ સાથે રાજભવન જવા રવાના થયા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર બુધવારે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે હલ્દવાની પહોંચ્યા. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) એ હલ્દવાની આર્મી હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું હતું. નૈનિતાલની કુમાઉ યુનિવર્સિટીનો કાર્યક્રમ પૂરો થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ હતી.

મુખ્યમંત્રી વતી, કેબિનેટ મંત્રી રેખા આર્ય, સાંસદ અજય ભટ્ટ, હલ્દવાની મેયર ગજરાજ બિષ્ટ, વન અને પર્યાવરણ સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ દીપક મહારા, કમિશનર કુમાઉ દીપક રાવત, આઈજી રિદ્ધિમ અગ્રવાલ, જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના, એસએસપી પ્રહલાદ નારાયણ મીણા અને અન્ય અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું.

નૈનિતાલમાં કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મુખ્ય મહેમાન હતા. તેમના 45 મિનિટના સંબોધનમાં તેમણે વારંવાર તેમના જુના સાથી ડો. મહેન્દ્ર સિંહ પાલનો ઉલ્લેખ કર્યો. પાલ 1989માં તેમની સાથે સાંસદ હતા જે કાર્યક્રમમાં હાજર હતા.

કાર્યક્રમ પછી તેઓ સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને ડો. પાલને ગળે લગાવ્યા. તેઓએ પાંચ મિનિટ સુધી જૂની વાતો કરી. ડો. પાલ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. બાદમાં ઉપરાષ્ટ્રપતિ ધનખર પણ ડો. પાલને ગળે લગાવતા રડવા લાગ્યા.

ત્યારબાદ ધનખરની તબિયત બગડી ગઈ અને ડો. પાલને ગળે લગાવતા જ તેઓ નીચે પડી ગયા. સ્થળ પર હાજર ડોક્ટરોની ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ તેઓ રાજ્યપાલ ગુરમીત સિંહ સાથે રાજભવન જવા રવાના થયા.

Most Popular

To Top