SURAT

“આપ” ના નગરસેવકોએ આ કારણે પારણા તો કર્યા પણ હવે વધુ જલદ ઉપાયો અજમાવવાની તૈયારી

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader) ધર્મેશભાઈ ભંડેરીએ અને તેમના સાથી નગરસેવકો સાથે ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં કર્યા હતા. પાર્ટીના સંસ્થાપક, આદરણીય વડીલ પ્રો.કિશોરભાઇ દેસાઇ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ શહેરની જુદી જુદી સોસાયટીના પ્રમુખોની સમજાવટથી એમના ઉપવાસ છોડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણી બીલ માફ કરવા, સુરત ટેક્સટાઇલ્સ માર્કેટની લીઝ બાબતનો નવો ઠરાવ રદ્દ કરાવવા તેમજ જનપ્રતિનિધિઓ ઉપર પોલીસ તેમજ પાલિકાના માર્શલો દ્વારા હુમલો કરનાર અઘિકારીઓ વિરુઘ્ઘ કડક પગલા ભરવાની માંગણીઓ સાથે વિરોધ કર્યો હતો.

ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી
​દલિત સમાજની દિકરી વર્ષા રામદાસ તડવી અને અસ્મિતા રમેશભાઇ તડવીના હસ્તે વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને સાથી જન પ્રતિનિધિઓએ પારણાં કર્યા છે. ​​સૌનું માનવું છે કે મહાનગરપાલિકાના વહીવટમાં એક બે મુદ્દાનો ભ્રષ્ટાચાર નથી. સમગ્ર વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર દૂર કરવા આપના નગરસેવકોએ અને શહેરના નાગરિકોએ લાંબી લડત આપવી પડશે, એ માટે ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી કરવાની છે. ​ઉપવાસમાં અસંખ્ય શહેરીજનોના ગુજરાતભરમાંથી સાથ સહકાર, સમર્થન મળ્યા છે. સૌનો દિલથી આભાર માન્યો હતો.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પારણાંનો નિર્ણય : ધર્મેશ ભંડેરી
કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમારૂ આંદોલન આ ત્રણે મુદ્દાઓને લઈને રહેશે. હાલ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમે છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. ત્યારે અનેક લોકો અમને મળવા આવતા હતા અને તેના કારણે થોડો ડર એ પણ હતો કે કોરોના સંક્રમણ અમારામાંથી જો કોઈને થાય તો વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. જેથી મહામારીને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે. આજે ભલે પારણા કરી લીધા છે. પરંતુ સુરતની પ્રજાના હિતમાં અમે આ મહત્વના મુદ્દા તેમજ આવનાર દિવસોમાં સુરત શહેરના હિતમાં સતત આ પ્રકારના કાર્યક્રમો આપતા રહીશું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top