National

હરિયાણાના પંચકુલામાં વાયુસેનાનું ફાઇટર જેટ જગુઆર ક્રેશ થયું: પાયલોટ સુરક્ષિત રીતે બહાર આવ્યો

શુક્રવારે હરિયાણાના પંચકુલામાં મોરનીના બલદવાલા ગામ પાસે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે વિમાને અંબાલા એરબેઝથી તાલીમ ઉડાન માટે ઉડાન ભરી હતી. પાયલટે પેરાશૂટ વડે ઉતરાણ કરીને પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી તાલીમ ઉડાન ભરી હતી. પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે બપોરે લગભગ 3.45 વાગ્યે થયો હતો.

પાયલટે વિમાનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો અને પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. અકસ્માત સમયે ફાઇટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે બહાર નિકળી જવામાં સફળ રહ્યો. અકસ્માતની તપાસ માટે વાયુસેનાના નિષ્ણાતોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પંચકુલા જિલ્લાના રાયપુર રાનીના એક પોલીસ અધિકારીએ એજન્સીને ફોન પર જણાવ્યું કે વાયુસેનાનું વિમાન પંચકુલા જિલ્લાના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે.

Most Popular

To Top