Chhotaudepur

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામની સસ્તા અનાજની દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામની સસ્તા અનાજની દુકાન 90 દિવસ માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ કરી 20 દિવસમાં સમગ્ર અહેવાલ મોકલવા મામલતદાર અને પુરવઠા મામલતદારને હુકમ કર્યો છે.

લાવાકોઈ ગામે સસ્તા અનાજ સંચાલક જિલ્લા પુરવઠા અધિકારીની મંજૂરી વગર અનાજનો જથ્થો બીજા જગ્યા ઉપર મૂકીને વિતરણ કરતા અધિકારીઓ તપાસ કરતા ગેરરીતિ જણાઈ આવતા તાત્કાલિક અનાજનો જથ્થો સીલ કરી આખરે દુકાનને સસ્પેન્ડ કરાઈ છે.

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં 7 જેટલા ગામોના રેશનકાર્ડ ગ્રાહકોને જથ્થો વિતરણ કરવામાં આવતો હતો . સસ્તા અનાજ સંચાલક અનાજમાં કટકી કરી રેશનકાર્ડ ગ્રાહકોને અનાજ ઓછું આપતા ગામના સરપંચે સમગ્ર મામલો બહાર પાડતા પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને દુકાન ઉપર જઈને ચકાસણી કરતા અનાજનો જથ્થો બીજા જગ્યા ઉપર મળી આવતા તાત્કાલિક અનાજનો જથ્થો સીલ કરાયો હતો. જયારે તપાસમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અન્વયે એન.એફ.સીએ લાભાર્થીઓની યાદી રાખવામાં આવી ના હતી જયારે હાજર સ્ટોકનું મેળવણું કરતા ચોખ્ખાના જથ્થામાં 25 કિલોની ઘટ જોવા મળી હતી. જયારે અધિનિયમ 1955ની કલમ-3 હેઠળ પાડેલ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ બાબતનો હુકમ 2004 ની જોગવાઈઓ પરવાનાની શરતો તેમજ પી.ડી.એસ કંટ્રોલ ઓડર 2001 ની સૂચનાઓનો સંચાલકએ ભંગ કરેલ હોઈ અને ગંભીર પ્રકારની ગેરરીતિઓ કરેલ હોય જેને લઇ જિલ્લા પુરવઠા અધિકારીએ લાવાકોઈ ખાતે આવેલ શાહ મીનાબેન કૃષ્ણકાંત સંચાલકનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.b રેશનકાર્ડ ધારકોની ક્રોસ તપાસ કરી દિન 20 માં અહેવાલ મોકલી આપવા નસવાડી મામલતદાર અને પુરવઠા મામલતદારને જિલ્લા પુરવઠા અધિકારીએ હુકમ કર્યો છે .

દરેક દુકાનની અચાનક તપાસ થાય તો અનેક ગેરરીતિ બહાર આવે

હાલ તો જિલ્લા અને તાલુકાના અધિકારીઓ સખ્તાઈ થી તપાસ કરી પગલાં ભરતા સસ્તા અનાજ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે નસવાડી તાલકામાં ગરીબોનું અનાજ સસ્તા અનાજ સંચાલકો કટકી કરી બારોબાર વેચી નાખતા હોવાની ચર્ચાઓ ઉઠી જેને લઇ તાલુકાના અધિકારીઓ દરેક દુકાનોની સરપ્રાઈઝ વિઝીટ કરે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે

Most Popular

To Top