ભારત જેવા આધ્યાત્મિક દેશને કટ્ટરવાદ તરફ દોરનારા અને પોષનારા આપણા રાજકર્તાઓને મતબેંક સિવાય કશું દેખાતું જ નથી. વર માટે કન્યા માટે મહારાજનું તરભાણું ભરાવું જોઇએ. ભાઇચારાના લીધે હળીમળીને રહેનારી પ્રજામાં રાજકારણીઓ વિખવાદ પોષે છે અને પાળે છે. હાલમાં ઇલેકશનના પ્રચાર અને પ્રસારમાં હિજાબ અને ભગવા ખેસનું તાપણું સળગાવ્યું છે અને તેમાં નિર્દોષ રૈયતનો ભોગ લેવાય છે. આ ઠંડીની મોસમમાં આ તાપણામાં બધા જ પક્ષો રોટલા શેકવા ટાંપીને બેઠા છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.