National

જાણો, AIIMS ના ડિરેક્ટરે કોરોના વેક્સિન વિશે શું કહ્યું

દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સ (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (DR.RANDIP GULERIYA) એ કોરોના રસી (CORONA VACCINE) લીધા પછી પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યુ હતું કે મને કોઈ આડઅસર નથી, હું સવારથી જ કામ કરું છું, હવે હું મિટિંગ કરી રહ્યો છું. હું ઠીક છું ડો.ગુલેરિયાએ કહ્યું કે આપણે નજીવી આડઅસરથી ડરવાની જરૂર નથી, જો તમે કોઈ પણ દવા લેશો તો થોડી એલર્જિ આવી શકે છે.

એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા પસંદ કરેલા લોકોમાં હતા જેમને 16 જાન્યુઆરીએ પ્રથમ રસી આપવામાં આવી હતી. લોકોનો કોરોના રસી ઉપર આત્મવિશ્વાસ વધારવા માટે ડો. ગુલેરિયાએ સ્વસ્થ આરોગ્ય કાર્યકર તરીકે પ્રથમ રસી લીધી હતી. ડો.ગુલેરિયાએ સોમવારે લોકોને અપીલ કરી છે કે જો આપણે કોવિડ ચેપમાંથી બહાર નીકળવું હોય, મૃત્યુ દર ઘટાડવો હોય, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી હોય, તો આપણે ખચકાટ વિના રસી લેવી જોઈએ.

એઈમ્સના ડિરેક્ટરએ કહ્યું કે દેશમાં આપણે શાળાઓ શરૂ કરવી પડશે, જો જીવન સામાન્ય બનવું હોય તો બધાએ આગળ આવીને રસી લેવી જોઈએ. તો જ આપણે આગળ વધી શકીશું.રસી લાગુ કર્યા પછી આડઅસરો અને એલર્જી વિશે વાત કરતા ડો. ગુલેરિયાએ કહ્યું કે જો તમે કોઈ પણ દવા લેશો તો થોડી એલર્જી થઈ શકે છે, અને આ એલર્જી ક્રોસિન, પેરાસીટામોલ જેવી સાધારણ દવાઓની પણ હોઈ શકે છે.

એઇમ્સના ડિરેક્ટરના જણાવ્યા મુજબ, કોરોના રસીકરણ હાર્ટ એટેક (HEART ATTECK)નું કારણ નથી. તેના સરળ આડઅસરોમાં શરીરમાં દુખાવો શામેલ છે, જેમકે જ્યાં રસી મૂકી છે ત્યાં થોડો દુખાવો, હળવો તાવ હોઈ શકે છે. આવું 10% કરતાં પણ ઓછા લોકોમાં જોવા મળે છે.રસીકરણના સમાન ગંભીર લક્ષણો વર્ણવતા ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે જો આપણે ગંભીર આડઅસરો વિશે વાત કરીશું તો શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે, ગભરાટ થઈ શકે છે, શ્વાસની તકલીફ થઈ શકે છે.

તેમણે કહ્યું કે જો આવું થાય તો પણ ગભરાવાનું કોઈ કારણ નથી, બધે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આડઅસરો સાથે કામ કરવા માટે કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ક્ષણે ઘણા લોકો કોરોના રસીકરણમાં ઓછા લોકો આવ્યા છે, પરંતુ તે ધીરે ધીરે ઠીક થઈ જશે. એઈમ્સના ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, રસી સંબંધિત હજી સુધી કોઈ મૃત્યુ થયું નથી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top