National

દુર્ગા પૂજા પંડાલમાં તૈયાર થઈ રહી છે મમતાની 10 હાથની પ્રતિમા: શુભેન્દુએ કહ્યું – તમને અહંકાર છે

પશ્ચિમ બંગાળ (West Bengal)માં દુર્ગા પૂજા (durga puja)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામધૂમથી ઉજવાશે (celebration). આ વખતે પણ દરેક જગ્યાએ સુંદર પંડાલ સજાવવામાં આવશે, મા દુર્ગાની ભક્તિમાં લીન થયેલા ભક્તો જોવા મળશે અને ઘણા ખાસ કાર્યક્રમો (special program)નું આયોજન કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન એક વિવાદ ઉભો થયો છે. 

આ વખતે સીએમ મમતા બેનર્જી (Cm mamta benarjee)ની મૂર્તિ (idol) દુર્ગા પંડાલમાં જોવા મળશે. કલાકાર (artist) મિન્ટુ પાલ તેમની ટીમ સાથે મમતા બેનર્જીની 10 હાથની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે. દુર્ગા પૂજા દરમિયાન આ મૂર્તિ પંડાલમાં રાખવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાના બહાને મમતા બેનર્જીના કાર્યકાળમાં શરૂ થયેલી 10 યોજનાઓ જણાવવામાં આવશે. મૂર્તિઓ દ્વારા આવી કુલ 10 યોજનાઓ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આર્ટિસ્ટ મિન્ટુએ સ્પષ્ટ કર્યું છે કે આ મૂર્તિ પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. ભૂતકાળમાં પણ ઘણા નેતાઓની આવી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. 

તેમણે એ પણ માહિતી આપી છે કે મમતા બેનર્જીની મૂર્તિની પૂજા કરવામાં આવશે નહીં. તે પંડાલમાં માત્ર જાહેર જનતા માટે જ રાખવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું છે કે મમતા દીદી પોતાની યોજનાઓ દ્વારા ઘણી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરી રહી છે. તે એવી જ રીતે કામ કરી રહી છે જેવી રીતે માતા દુર્ગાએ એક વખત રાક્ષસોને તેના 10 હાથથી મારી નાખ્યા હતા. મમતાની આ મૂર્તિ દ્વારા, અમે તેમની કન્યાશ્રીથી લઇ શુભોશ્રી યોજના બતાવીશું.

કોણે આપ્યો છે ઓર્ડર?

જાણવા મળ્યું છે કે આ મૂર્તિનો ઓર્ડર નઝરૂલ પાર્ક ઉન્નયન સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે. મમતા બેનર્જીની આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે નહીં. હવે મૂર્તિ બનાવનારે તમામ વિવાદ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઓર્ડર આપનાર વ્યક્તિ પણ કોઈ વિવાદ ઇચ્છતો નથી. પરંતુ આ મૂર્તિ પર હવે રાજકારણ શરૂ થયું છે.

ભાજપે સાધ્યું નિશાન

ભાજપે મમતા બેનર્જીની આ પ્રતિમાને તેના અહંકાર સાથે જોડી છે. શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો છે કે જ્યારે કોઈ તમને ભગવાનનું બિરુદ આપવાનો પ્રયત્ન કરે છે માત્ર એટલા માટે કે તમે ખુશ છો. તે સ્પષ્ટ છે કે તમારો અહંકાર એટલો વધી ગયો છે કે હવે તમારો અંતરાત્મા પણ કામ કરતો નથી.

Most Popular

To Top