Business

સોજિત્રામાં ગળુ દબાવી યુવકની હત્યા કરાઈ હતી

પેટલાદ: સોજિત્રા – આણંદ ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ જવાના રસ્તા પર બુધવારના રોજ પુરૂષની અર્ધનગ્ન લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેમાં યુવકની હત્યા ગળુ દબાવી અને માથામાં ઘા મારી હત્યા કરી હોવાનું જણાયું હતું. સોજિત્રા – આણંદના ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ રોડ પર બુધવાર સવારે લાશ પડી હોવાની ખબર સોજિત્રા પોલીસને મળી હતી. આથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. ભરવાડ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ચાર – પાંચ દિવસથી લાશ પડી હોવાથી તે ફોગાઇ ગઇ હતી અને જીવાંત પડી હતી. આથી, તેની ઓળખ મુશ્કેલ હતી.

જોકે, પોલીસે લાશનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ અંગે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં અર્ધનગ્ન હાલતમાં મળેલી લાશ પુરૂષની છે. આશરે 45થી 50 વર્ષના આશરાના લાગતા પુરૂષનું મોત કેવા સંજોગોમાં થયું ? તે પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. જોકે, લાશ ફોગાઇ ગઇ હોવાથી કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેમાં પુરૂષનું મોત ત્રણ કે પાંચ દિવસ પહેલા થયું હતું. કોઇ અજાણ્યા ઇસમે ગળાના ભાગે દબાવવાથી તેમજ માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવ્યું હતું. આથી, પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top