અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSI PANNU) અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ ( ANURAG KASHAYAP) પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ હવે રાજકારણ ગરમાયું છે. તે દરમિયાન આયકર વિભાગનું નિવેદન પણ બહાર આવ્યું છે. સીબીડીટીએ આશરે 300 કરોડની રકમ શોધી કાઢી છે. આવકવેરા વિભાગ 28 જુદા જુદા સ્થળોએ તપાસ કરી રહ્યું છે.

આવકવેરાના જણાવ્યા અનુસાર પ્રોડક્ટશન હાઉસ ના શેરના લેવડ દેવડના ઓછા અવમૂલ્યન સહિત હેરફેરને લગતા પુરાવાઓ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે, જેમાં આશરે 350 કરોડની રકમનો ઘાલમેલ પણ સામેલ છે. તાપસી પન્નુ પાસેથી રૂપિયા પાંચ કરોડની રોકડ રકમના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત અનુરાગ કશ્યપની તપાસમાં પણ આવકવેરા 20 કરોડ રૂપિયાનો નકલી ખર્ચ હોવાનું જણાયું છે. તાપસી પન્નુ નજીક પણ આવી જ જપ્તી મળી આવી છે.
અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પરની આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કંગના રનૌતે (KANGNA RANAUT) ટ્વિટ કર્યું હતું કે, જેઓ ચોર છે તે ફક્ત ચોર છે, જેઓ માતૃભૂમિને વેચવા માંગે છે અને તેને કાપવા માંગે છે, તે ફક્ત દેશદ્રોહી છે અને જેઓ દેશદ્રોહીને સાથ આપે છે. તેઓ પણ ચોર છે, અને જે ચોરોને ડરાવે છે તે નરેન્દ્ર મોદી ( NARENDRA MODI) છે,

કંગના રનૌતે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે ‘તે માત્ર કરાર જ નથી પરંતુ કાળા નાણાંનો મોટો વ્યવહાર રહ્યો છે. શાહીનબાગ ( SAHINBAAG) રમખાણોને ભડકાવવા અથવા પ્રજાસત્તાક દિવસની હિંસા ભડકાવવા માટે તેમને તે પૈસા મળ્યા હતા. કાળું નાણું ક્યાંથી આવ્યું અને તે ક્યાં મોકલવામાં આવ્યું, તેનો હિસાબ નથી?
‘કંગના રનૌતે અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘દર મિનિટે સંખ્યા વધી રહી છે, આ એકમાત્ર પૈસા છે જેની ચાવી મળી રહી છે. કોઈને આશ્ચર્ય થશે કે મની લોન્ડરિંગની વાસ્તવિક સંખ્યાઓ શું હોઈ શકે.

અભિનેત્રી તાપસી પન્નુ અને નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અબુ અસીમ આઝમીએ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું છે કે હવે દેશમાં લોકશાહી સમાપ્ત થઈ રહી છે અને સરમુખત્યારશાહી આવી રહી છે. હવે રાજા અને નવાબોનું શાસન ચાલે છે. જો કોઈ રાજા સાહેબના માનમાં કંઈક કહે છે, તો તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.
